ગુજરાતનું એક એવું ગામ જ્યાં દશેરાના દિવસે આકાશમાં પતંગો ચગે છે! જાણો શું છે ઈતિહાસ

ગુજરાતનું એક એવું ગામ જ્યાં દશેરાના દિવસે આકાશમાં પતંગો ચગે છે! જાણો શું છે ઈતિહાસ

10/14/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતનું એક એવું ગામ જ્યાં દશેરાના દિવસે આકાશમાં પતંગો ચગે છે! જાણો શું છે ઈતિહાસ

આમ તો ઉત્તરાયણના તહેવારને હજુ ત્રણ મહિના જેટલો સમય બાકી છે, પરંતુ ગુજરાતના એક ગામના બજારમાં ઠેરઠેર માંજા પીવડાવવાના ચરખા લાગી ગયા છે તો પતંગો લેવા માટે લોકો બજારમાં ઉમટી પડ્યા છે. તેનું કારણ છે કે આ ગામમાં ઉત્તરાયણની ઉજવણી 14 જાન્યુઆરીએ નહીં પણ દશેરાના દિવસે થાય છે! ભારતનું આ એકમાત્ર એવું ગામ છે જ્યાં દશેરાના દિને પતંગ ચગાવવામાં આવે છે.


દશેરાના દિને ઉત્તરાયણ જેવું વાતાવરણ હોય છે

આ ગામ છે પાટણનું સિદ્ધપુર. સિદ્ધપુરવાસીઓ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવતા નથી અને તેના સ્થાને દર વર્ષે દશેરાના દિવસે પતંગ ચગાવીને ઉજવણી કરે છે. અહીં દશેરાના દિવસે 14 જાન્યુઆરી જેવું વાતાવરણ હોય છે અને લોકો સવારથી ઘરની અગાસીએ ચડીને પતંગ ચગાવી પેચ લડાવે છે. અહીં દશેરાના દિને આકાશમાં પતંગો ચગતા જોવા મળે છે.

હાલ સિદ્ધપુરમાં અનેક પતંગોની દુકાનો ખુલી ગઈ છે તો લોકો પતંગ અને માંજાની ખરીદી માટે પડાપડી કરી રહ્યા છે. જેમ બાકીના શહેરોમાં ઉત્તરાયણ અગાઉ જેવો માહોલ હોય છે, તેવો માહોલ હાલ સિદ્ધપુરમાં દશેરા અગાઉ જામ્યો છે. જોકે, સાથે અહીંના લોકો દશેરાની ઉજવણી પણ આ જ દિવસે કરે છે.


પરંપરા પાછળ શું છે ઈતિહાસ?

પરંપરા પાછળ શું છે ઈતિહાસ?

સિદ્ધપુરની આ અનોખી પરંપરા પાછળ પણ ઈતિહાસ જોડાયેલો છે. સિદ્ધપુરના લોકપ્રિય મહારાજા સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું દેહાવસાન 14 જાન્યુઆરીના રોજ થયું હતું. જેના કારણે અહીંની પ્રજા પોતાના રાજાની પુણ્યતિથિ હોવાથી 14 જાન્યુઆરીએ તહેવાર મનાવતી નથી અને શોક પાળે છે. સિદ્ધરાજ જયસિંહના અવસાન બાદથી આ પરંપરા ચાલતી આવી છે, જે આજ સુધી અકબંધ રહી છે.

જોકે, અગાઉ આ પરંપરાને સંપૂર્ણપણે નિભાવવામાં આવતી હતી પરંતુ હવે સમય જતા ક્યાંક ઉત્તરાયણમાં પણ ઉજવણી થાય છે તો પહેલા પાટણમાં પણ ઉત્તરાયણના દિને પતંગ ચગાવવામાં આવતા ન હતા પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષોથી લોકો અહીં પણપતંગ ચગાવતા થયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top