બોનસની ગિફ્ટ: આ લાઈફ ઇન્શ્યોરન્સ કંપનીના 21.90 લાખ પોલિસીધારકોને મળશે બોનસ

બોનસની ગિફ્ટ: આ લાઈફ ઇન્શ્યોરન્સ કંપનીના 21.90 લાખ પોલિસીધારકોને મળશે બોનસ

06/11/2025 Business

SidhiKhabar

SidhiKhabar

બોનસની ગિફ્ટ: આ લાઈફ ઇન્શ્યોરન્સ કંપનીના 21.90 લાખ પોલિસીધારકોને મળશે બોનસ

HDFC Life Declares its Highest-ever Bonus: જો તમે HDFC લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના પોલિસીધારક છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હકીકતમાં, કંપનીએ મંગળવારે પોતાના 21.90 લાખ પોલિસીધારકો માટે 4102 કરોડ રૂપિયાના બોનસની જાહેરાત કરી છે. PTI સમાચાર અનુસાર, HDFC લાઇફે 17 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલી કંપનીની બોર્ડ મીટિંગમાં 4102 કરોડ રૂપિયાના બોનસને મંજૂરી આપી છે. કંપનીએ કહ્યું છે કે, HDFC લાઇફ દ્વારા પોલિસીઓ પર જાહેર કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ બોનસ છે.


બોનસ ક્યારે ચૂકવવામાં આવશે

બોનસ ક્યારે ચૂકવવામાં આવશે

મીડિયા રિપોર્ટ અનુસાર, HDFC લાઇફ તરફથી જાહેર કરેલા આ કુલ બોનસમાંથી 3232 કરોડ રૂપિયાની ચાલુ નાણાકીય વર્ષમાં પરિપક્વતા ચૂકવણીના ભાગ રૂપે ચૂકવવાપાત્ર થશે અને બાકીની રકમ પોલિસી લાભના રૂપમાં હાંસલ થશે અને તેની ચૂકવણી ત્યારે કરવામાં આવશે, જ્યારે આ લાભ ચૂકવણી આગામી નાણાકીય વર્ષોમાં કરવામાં આવશે. HDFC લાઇફ દ્વારા જાહેર કરેલું વાર્ષિક બોનસ દર 4 વર્ષે લગભગ બમણું થયું છે, આમ નફાની સાથે ફંડ પ્રદર્શન અને પોલિસીધારક મૂલ્યમાં સતત વધારો દર્શાવે છે.


કંપનીએ શું કહ્યું?

કંપનીએ શું કહ્યું?

કંપનીએ પોતાની સ્થાપના બાદ તમામ પાત્ર પ્રતિભાગી પોલિસીઓમાં કુલ સંચિત બોનસ રકમ 22,500 કરોડ રૂપિયાથી વધુની જાહેર કરી છે. HDFC લાઇફે નિયુક્ત એક્ચ્યુઅરી, ઇશ્વરી મુરુગને જણાવ્યું હતું કે મને એ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે HDFC લાઇફે આ વર્ષે પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટું બોનસ જાહેર કર્યું છે. પોલિસી બોનસ એ પોલિસીધારકો માટે એક પુરસ્કાર છે જે લાંબા સમય સુધી જોડાઈ રહે છે.

પોતાની સફરના 25 વર્ષ પૂર્ણ કરવા સાથે, અમે બધા હિતાધારકોને મૂલ્ય પ્રદાન કરવાના પોતાના વચન પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. અમારો પ્રયાસ છે કે અમે પોતાના પોલિસીધારકો અને તેમના પરિવારોને જીવન વીમા સાથે નાણાકીય રીતે સુરક્ષિત કરીએ, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરી શકે અને ભવિષ્ય માટે તૈયાર થઈ શકે.


દાવા સમાધાન ગુણોત્તર 99.68 ટકા

દાવા સમાધાન ગુણોત્તર 99.68 ટકા

HDFC લાઇફે નાણાકીય વર્ષ 2025માં વ્યક્તિગત મૃત્યુ દાવાઓમાં 99.68 ટકાનો દાવા સમાધાન ગુણોત્તર પ્રાપ્ત કર્યો છે. કંપનીએ 19,666 પોલિસી હેઠળ દાવાઓનું સમાધાન કર્યું અને મૃત્યુ દાવા લાભ તરીકે કુલ 2060 કરોડ રૂપિયા ચૂકવ્યા. બધા જરૂરી ડૉક્યૂમેન્ટ હાંસલ કર્યા બાદ આગામી કાર્યકારી દિવસની અંદર 99 ટકા બિન-ચકાસણી કરાયેલા દાવાઓની ચૂકવણી દાવેદારોના ખાતામાં ચૂકવી દેવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top