ભારતીય કંપનીના કફ સિરપને લીધે ગામ્બિયામાં 66 બાળકોનાં મોત! WHO એ એલર્ટ જાહેર કર્યુ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એલર્ટ બાદ ગામ્બિયામાં 66 બાળકોના મોત માટે ચાર ભારતીય કફ સિરપને જોડવામાં આવ્યા બાદ હવે ભારતે પણ તેના સંબંધમાં તપાસ શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (CDSCO) એ તરત જ આ મામલો હરિયાણા રેગ્યુલેટરી ઓથોરિટી સાથે ઉઠાવ્યો અને તપાસ શરૂ કરી છે. કફ સિરપનું ઉત્પાદન M/s Maiden Pharmaceutical Limited દ્વારા સોનીપત, હરિયાણામાં કરવામાં આવે છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે 29 સપ્ટેમ્બરના રોજ, WHOએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (CDSCO)ને કફ સિરપ વિશે ચેતવણી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે કફ સિરપનું ઉત્પાદન હરિયાણાના સોનીપતમાં મેસર્સ મેઇડન ફાર્માસ્યુટિકલ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આ બાબતે ઉપલબ્ધ માહિતી મુજબ, એવું લાગે છે કે પેઢીએ આ ઉત્પાદનો ફક્ત ધ ગામ્બિયાને મોકલ્યા હતા. કંપનીએ હજુ સુધી આરોપોનો જવાબ આપ્યો નથી.
આ કિસ્સામાં, WHOએ ચેતવણી આપી છે કે પશ્ચિમ આફ્રિકન દેશની બહાર આ સિરપનું વિતરણ કરવામાં આવ્યું હોઈ શકે છે, જે વૈશ્વિક જોખમ ઊભું કરે છે. જો કે, WHOએ હજુ સુધી મૃત્યુને કફ સિરપ સાથે જોડવાનું કારણ જણાવ્યું નથી.
ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે ગયા દિવસે (5 ઓક્ટોબર) જણાવ્યું હતું કે આ ચાર ભારતીય કફ સિરપ કિડનીના નુકસાન અને ગામ્બિયામાં 66 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલા છે. WHO ચેતવણી મુજબ, તેની પાસે પ્રોમેથાઝીન ઓરલ સોલ્યુશન, કોફેક્સમેલીન બેબી કફ સીરપ, મેકોફ બેબી કફ સીરપ અને મેગ્રીપ એન કોલ્ડ સીરપ નામના ચાર ઉત્પાદનો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp