કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને લખ્યો પત્ર, જાતિગત વસ્તી ગણતરી પર આપ્યા 3 સૂચન
Congress chief Kharge writes to PM Modi: કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં, તેમણે જાતિ વસ્તી ગણતરી અંગે વિચારવા માટે 3 મુદ્દા શેર કર્યા છે. પત્રમાં લખ્યું છે કે, ‘મેં 16 એપ્રિલ 2023ના રોજ તમને એક પત્ર લખ્યો હતો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જાતિગત વસ્તી ગણતરી કરાવવાની માગણી તમારી સમક્ષ મૂકી હતી. દુઃખની વાત છે કે, મને તે પત્રનો કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ, તમારા પક્ષના નેતાઓ અને તમે પોતે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના નેતૃત્વ પર આ વાજબી માગણી ઉઠાવવા બદલ સતત પ્રહારો કર્યા. આજે તમે પોતે સ્વીકારી રહ્યા છો કે, આ માગ ગહન સામાજિક ન્યાય અને સામાજિક સશક્તિકરણના હિતમાં છે.
ખડગેએ પોતાના વિચારો વ્યક્ત કરતા પત્રમાં આગળ લખ્યું કે, ‘તમે કોઈ સ્પષ્ટ વિવરણ વિના જાહેરાત કરી છે કે આગામી વસ્તી ગણતરીમાં (જે વાસ્તવમાં 2021માં થવાની હતી) જાતિને પણ એક અલગ શ્રેણી તરીકે સમાવવામાં આવશે. આ સંદર્ભમાં મારા 3 સૂચનો છે, જેના પર તમે કૃપયા વિચાર કરો.
આ ઉપરાંત, ખડગેએ લખ્યું કે, ‘જાતિ વસ્તી ગણતરી જેવી કોઈપણ પ્રક્રિયા, જે પછાત, વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને અધિકારો પૂરા પાડવાનું સાધન બને છે, તેને કોઈપણ રીતે વિભાજનકારી ન ગણવી જોઈએ. આપણું મહાન રાષ્ટ્ર અને આપણા વિશાળ હૃદયવાળા લોકો હંમેશા પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં એકજુથ થઈને ઉભા રહ્યા છે. પહેલગામમાં તાજેતરના કાયર આતંકવાદી હુમલાઓ બાદ, આપણે બધાએ એકતા દર્શાવી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માને છે કે સામાજિક અને આર્થિક ન્યાય અને સ્થિતિ અને તકની સમાનતા સુનિશ્ચિત કરવા માટે ઉપર સૂચવેલા સમગ્ર રીતે જાતિ વસ્તી ગણતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આપણા બંધારણની પ્રસ્તાવનામાં પણ સંકલ્પિત છે. મને વિશ્વાસ છે કે તમે મારા સૂચનો પર વિચાર કરશો. હકીકતમાં, હું તમને જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર ટૂંક સમયમાં તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત કરવા વિનંતી કરું છું. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા જાતિગત વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત બાદ રાહુલ ગાંધીએ પણ આજ માગો કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp