Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 3 અધિકારીઓને નોકરીમાંથી કાઢશે એર ઈન્ડિયા, લાગ્યા ગંભીર બેદરકારીના આરોપ
Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 297 લોકોના મોત બાદ DGCAએ એર ઇન્ડિયાને 3 બેદરકાર અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકવાનો આદેશ આપ્યો છે. 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયાના થોડી સેકન્ડ બાદ ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. તો જે ઇમારત સાથે વિમાન અથડાયું હતું તેમાં હાજર ઘણા લોકો પણ માર્યા ગયા હતા. એર ઇન્ડિયાએ પોતે માહિતી આપતા ત્રણેય અધિકારીઓની બેદરકારીનો ખુલાસો કર્યો. ત્યારબાદ DGCAએ ત્રણેયને નોકરીમાંથી કાઢવાનો આદેશ આપ્યો છે. ત્રણેય વરિષ્ઠ અધિકારીઓ પર ગંભીર બેદરકારીનું પુનરાવર્તન કરવાનો આરોપ છે અને તેમની સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.
એર ઇન્ડિયા તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, આ અધિકારીઓએ પ્રોટોકોલનું પાલન કર્યું નહોતું. વિમાનમાં ડ્યૂટી લગાવવા અગાઉ તમામ ક્રૂ સભ્યોના લાઇસન્સ તપાસવામાં આવે છે, પરંતુ એવું કરવામાં આવ્યું નહોતું. મુસાફરોના આરામ અને ફ્રેશ કરવા માટે જરૂરી વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું નહોતું. એવિએશન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ અને ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમની સમીક્ષા દરમિયાન આ બેદરકારીનો ખુલાસો થયો હતો. એવિએશન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ એ એરલાઇન્સ દ્વારા ક્રૂ મેનેજમેન્ટ માટે ઉપયોગમાં લેવાતી એક સંકલિત સિસ્ટમ છે.
DGCAએ 20 જૂનના રોજ એક આદેશ જાહેર કરતા કહ્યું હતું કે, ‘સ્વૈચ્છિક ખુલાસાઓ ક્રૂ શેડ્યુલિંગ, દેખરેખ અને આંતરિક જવાબદારીમાં નિષ્ફળતાઓ તરફ નિર્દેશ કરે છે. ખાસ ચિંતાનો વિષય એ છે કે આ ખામીઓ માટે સીધા જવાબદાર મુખ્ય અધિકારીઓ સામે કડક શિસ્તબદ્ધ કાર્યવાહીનો અભાવ છે. DGCAએ ત્રણ અધિકારીઓને સીધા જવાબદાર ઠેરવ્યા છે. ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ ચુરા સિંહ, ડિરેક્ટોરેટ ઓફ ક્રૂ શેડ્યૂલિંગ ઓપરેશન્સમાં ચીફ મેનેજર પિંકી મિત્તલ અને ક્રૂ શેડ્યુલિંગ પ્લાનિંગ વિભાગના પાયલ અરોરાને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ અધિકારીઓને ગંભીર અને વારંવાર ભૂલો માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જેમાં અનધિકૃત અને બિન-પાલનકારી ચાલક દળની જોડીઓ, ફરજિયાત લાઇસન્સિંગ અને નવીનતાના ધોરણોનું ઉલ્લંઘન, શેડ્યુલિંગ પ્રોટોકોલ અને દેખરેખમાં પ્રણાલીગત નિષ્ફળતાઓનો સમાવેશ થાય છે. DGCAએ એર ઇન્ડિયાને ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ ભૂમિકાઓ અને જવાબદારીઓમાંથી 3 અધિકારીઓને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ અધિકારીઓ સામે વિલંબ કર્યા વિના અનુશાસનાતનક કાર્યવાહી શરૂ કરવી જોઈએ અને આવી કાર્યવાહીના પરિણામની સૂચના આ પત્ર જાહેર થયાની તારીખથી 10 દિવસની અંદર આ કાર્યાલયને આપવી જોઈએ. DGCAએ જણાવ્યું હતું કે, સમયપત્રક પ્રથાઓમાં સુધારાત્મક સુધારા પૂર્ણ થવા સુધી અધિકારીઓને બિન-કાર્યકારી ભૂમિકાઓમાં ફરીથી તૈનાત કરવામાં આવશે અને તેઓ આગામી સૂચના સુધી ફ્લાઇટ સલામતી અને ક્રૂ પાલન પર સીધી અસર કરતા કોઈપણ પદ પર નહીં રહે.
આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈપણ પોસ્ટ-ઓડિટ અથવા નિરીક્ષણમાં ક્રૂ શેડ્યુલિંગ ધોરણો, લાઇસન્સિંગ અથવા ફ્લાઇટ સમય મર્યાદાનું ઉલ્લંઘન કરવાના કિસ્સામાં કડક અમલીકરણ પગલાં લેવામાં આવશે. આવું ર્હવા પર પેનલ્ટી લગાવવા સાથે જ લાઇસન્સ રદ કરી શકાય છે અથવા ઓપરેટરની પરવાનગી પાછી લઈ શકાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp