પાકિસ્તાન સાથે ભારતે કેમ કર્યું સીઝફાયર? વિદેશ મંત્રી એસ. જયશંકરે કરી દીધો ખુલાસો
S Jaishankar on Ceasefire: ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સાથેના સીઝફાયરને લઈને વિપક્ષ સરકારને સતત સવાલ પૂછી રહ્યું છે. આ દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સવાલનો જવાબ આપ્યો છે કે ભારતે પાકિસ્તાન સાથે સીઝફાયર કેમ કર્યું? 10 મેના થયેલા રોજ સીઝફાયરના વાસ્તવિક કારણ બાબતે બતાવતા કહ્યું કે, અમે પાકિસ્તાનના 8 મુખ્ય હવાઈ ઠેકાણા પર હુમલો કર્યો અને આ જ કારણ છે કે આ લડાઈ બંધ થઈ ગઈ.
અમેરિકન ન્યૂઝ વેબસાઇટ પોલિટિકોને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન, જયશંકરે કહ્યું કે, ‘10 તારીખે લડાઈ માત્ર ને માત્ર એક જ કારણે રોકાઈ, તે એ હતું કે અમે 10 તારીખની સવારે આ મુખ્ય 8 પાકિસ્તાની એરફિલ્ડ્સને હિટ કર્યા અને તેમને નિષ્ક્રિય કરી દીધા. અને મારી વાત ભરોસો ન કરો, આ તસવીરો ગૂગલ પર ઉપલબ્ધ છે. તમે રનવે અને હેંગર જોઈ શકો છો જેના પર હુમલો થયો છે.’
જયશંકરે આતંકવાદ સામે મજબૂતીથી લડવાની દેશની પ્રતિબદ્ધતા બાબતે મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, ‘અમને કોઈ ચિંતા નથી કે તેઓ ક્યાં છે. જો તેઓ પાકિસ્તાનની અંદર સુધી છે, તો અમે પાકિસ્તાનની અંદર સુધી જઈશું.’ બ્રસેલ્સની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે, ‘આ (પાકિસ્તાન) એક એવો દેશ છે જે આતંકવાદનો ઉપયોગ સ્ટેટ પોલિસીના સાધનના રૂપમાં ઉપયોગ કરવામાં ખૂબ જ ડૂબેલો છે. આજ આખો મુદ્દો છે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું છે એ પરિસ્થિતિઓ અત્યારે પણ અસ્તિત્વમાં છે, જેના કારણે બંને દેશ યુદ્ધની કગાર પર પહોંચી ગયા હતા. તો તેમણે કહ્યું કે, ‘જો તમે આતંકવાદ પ્રત્યેની પ્રતિબદ્ધતાને તણાવનો સોર્સ કહો છો, તો નિશ્ચિત રૂપે આવું છે.’
સીઝફાયર સાથે-સાથે સૈન્ય હુમલામાં ભારતીય જેટ વિમાનોના ક્ષતિગ્રસ્ત થવાના અહેવાલો અંગે જયશંકરે કહ્યું કે, ‘જ્યાં સુધી મારો સવાલ છે, રાફેલ કેટલા પ્રભાવી હતા અથવા સાચું કહું તો અન્ય સિસ્ટમો કેટલી પ્રભાવી હતી, મારા માટે તેના પુરાવા પાકિસ્તાની પક્ષના નષ્ટ અને અક્ષમ એરફિલ્ડ્સ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp