તમિલનાડુમાં 13 સ્થળો પર EDના દરોડા, જાણો શું છે મામલો

તમિલનાડુમાં 13 સ્થળો પર EDના દરોડા, જાણો શું છે મામલો

04/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

તમિલનાડુમાં 13 સ્થળો પર EDના દરોડા, જાણો શું છે મામલો

EDએ તમિલનાડુમાં ઘણી જગ્યાએ દરોડા પાડવાની શરૂઆત કરી છે. માહિતી અનુસાર, આ દરોડા ટ્રૂ વેલ્યૂ હોમ્સ (TVH) ફર્મ સાથે સંબંધિત છે. મંત્રી કે.એન. નેહરુના ભાઈ કે.એન. રવિચંદ્રને TVHમાં મહત્ત્વની ભૂમિકા રહી છે. ED તામિલનાડુમાં 13 સ્થળોએ તપાસ કરી રહી છે, જેમાં તમિલનાડુના મંત્રી કે.એન. નેહરુ અને તેમના પુત્ર અરુણ નેહરુ (લોકસભા સાંસદ) સાથે જોડાયેલા પરિસરનો સમાવેશ થાય છે.


ઈન્ડિયન ઓવરસીઝ બેંકની ફરિયાદના આધારે થઇ રહી છે તપાસ

ઈન્ડિયન ઓવરસીઝ બેંકની ફરિયાદના આધારે થઇ રહી છે તપાસ

ઈન્ડિયન ઓવરસીઝ બેંકની ફરિયાદના આધારે 22 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીના કેસમાં ટ્રૂડોમ EPC લિમિટેડ સામે તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે ચેન્નાઈમાં એ.એમ. ગોપાલનની ચિટ ફંડ કંપની શ્રી ગોકુલમ ચિટ્સ સામે EDના દરોડાની આવા જ દરોડા બાદ કરવામાં આવ્યા છે. એ.એમ. ગોપાલન, જેમને ગોકુલમ ગોપાલન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક મલયાલમ ફિલ્મ એમપુરાણના નિર્માતાઓમાંના એક છે. આ ફિલ્મની રજૂઆત સમયે, તેમાં ગુજરાતના રમખાણો અને દંક્ષિણપંથી હિન્દુ જૂથોની ભૂમિકાને દર્શાવવાની રીતને લઈને વિવાદ થયો હતો.

એ જ રીતે, એમ્પુરાણના દિગ્દર્શક અને અભિનેતા પૃથ્વીરાજ સુકુમારનને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી હતી, જેમાં તેમને 2022માં રીલિઝ થયેલી 3 ફિલ્મો જન ગણ મન, ગોલ્ડ અને કડુવાથી થયેલી તેમની કમાણી જાહેર કરવા કહ્યું હતું. તેમને નોટિસનો જવાબ આપવા માટે 29 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.


ફિલ્મ અને વિવાદોનું કનેક્શન

ફિલ્મ અને વિવાદોનું કનેક્શન

ફિલ્મ 'L2: Empuraan' પૃથ્વીરાજ સુકુમારન દ્વારા નિર્દેશિત અને સુપરસ્ટાર મોહનલાલ અભિનીત લોકપ્રિય મલયાલમ ફિલ્મ 'લ્યુસિફર'ની સિક્વલ છે. દક્ષિણપંથી રાજનીતિની ટીકા અને ગુજરાત રમખાણોના સંકેતને કારણે આ ફિલ્મ વિવાદમાં આવી છે. તાજેતરમાં મોહનલાલે ફિલ્મમાંથી વિવાદાસ્પદ દૃશ્યો હટાવવાની જાહેરાત કરી હતી, જેથી વિવાદો ટાળી શકાય. વધતા વિવાદને જોઈને ફિલ્મના હીરો મોહનલાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને માફી માગી છે. જ્યારે મામલો વધી ગયો, ત્યારે નિર્માતાઓએ ફિલ્મમાં 17 કટ કરવાનો નિર્ણય લીધો.

માહિતી અનુસાર, 'એમ્પુરાન'ના નિર્માતાઓએ નિર્ણય લીધો છે કે તેઓ ફિલ્મમાં કુલ 17 ફેરફાર કરશે. તેમણે આ તમામ ફેરફારો માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને પણ વિનંતી કરી છે જેથી તેઓ તેમને આમ કરવાની પરવાનગી આપી શકે. ફિલ્મની નજીકના કેટલાક સૂત્રોનું કહેવું છે કે ફેરફારો બાદ દર્શકો ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં ફિલ્મનું નવું વર્ઝન જોઈ શકશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top