ICMR and AIIMS Report on COVID19 Vaccines: શું કોરોના વેક્સીનના કારણે થઈ રહ્યા છે યુવાઓમાં અચાનક મોત? AIIMS-ICMRના રિપોર્ટમાં સામે આવ્યું કારણ
ICMR and AIIMS Report on COVID19 Vaccines and sudden deaths: છેલ્લા એક મહિનામાં કર્ણાટકમાં 20થી વધુ લોકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા. આ માટે કર્ણાટક સરકારે કોરોના વેક્સીનને જવાબદાર ઠેરવી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર કોરોના વેક્સીનને લઈને ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ આજે દેશના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ICMR અને AIIMSના સંશોધનથી સ્પષ્ટ થયું છે કે કોરોના વેક્સીન અને કર્ણાટકમાં અચાનક થયેલા મોતો વચ્ચે કોઈ સંબંધ નથી. આ સંશોધન કોરોનાકાળ બાદ અચાનક થયેલા મોતો પર કરવામાં આવ્યું હતું. સંશોધનમાં તારણ નિકળ્યું હતું કે અચાનક મોતોએ કોરોના વેક્સીનની આડઅસર નથી, પરંતુ જીવનશૈલી અને જૂની બીમારીઓ મૃત્યુનું મુખ્ય કારણ છે.
Extensive studies by ICMR (Indian Council of Medical Research) and AIIMS on sudden deaths among adults post-COVID have conclusively established no linkage between COVID-19 vaccines and sudden deaths: Ministry of Health and Family Welfare.Studies by ICMR and the National Centre… pic.twitter.com/f5NcZ9x1Oq — ANI (@ANI) July 2, 2025
Extensive studies by ICMR (Indian Council of Medical Research) and AIIMS on sudden deaths among adults post-COVID have conclusively established no linkage between COVID-19 vaccines and sudden deaths: Ministry of Health and Family Welfare.Studies by ICMR and the National Centre… pic.twitter.com/f5NcZ9x1Oq
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે આ વેક્સીન પૂરી રીતે સુરક્ષિત છે અને તેનાથી કોઈ જોખમ નથી. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે વૈજ્ઞાનિક તથ્યોના આધારે, એવું કંઈ બહાર આવ્યું નથી જે અચાનક મોત માટે વેક્સીનને જવાબદાર ઠેરવે.
Extensive studies by ICMR and AIIMS have confirmed no direct link between COVID-19 vaccines and sudden adult deaths. Investigations identified lifestyle and pre-existing health conditions as key contributing factors behind such incidents, ruling out vaccine-related causes pic.twitter.com/74VrBgxKUt — IANS (@ians_india) July 2, 2025
Extensive studies by ICMR and AIIMS have confirmed no direct link between COVID-19 vaccines and sudden adult deaths. Investigations identified lifestyle and pre-existing health conditions as key contributing factors behind such incidents, ruling out vaccine-related causes pic.twitter.com/74VrBgxKUt
ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ સાબિત થયું છે કે ભારતમાં વપરાતી COVID વેક્સીન ન માત્ર સુરક્ષિત છે, પરંતુ બીમારીથી બચાવમાં પણ અસરકારક છે. ગંભીર આડઅસરોના કિસ્સા એટલા ઓછા છે કે તેમને અવગણી શકાય છે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે વેક્સીનને અચાનક મૃત્યુ સાથે જોડતી વાતો પાયાવિહોણી અને ખોટી છે.
મે-જૂન 2025 દરમિયાન, કર્ણાટકના હસન જિલ્લામાં 20થી વધુ લોકોના હાર્ટ એટેક આવવાથી મોત થઈ ચૂક્યા છે. આ અચાનક મોતોનું કારણ કોરોના વેક્સીનની આડઅસર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એટલે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કોવિડ વેક્સીનની સંભવિત આડઅસરોની તપાસ માટે એક નિષ્ણાત સમિતિની રચના કરી. આ સમિતિનું નેતૃત્વ જયદેવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર સાયન્સિસ એન્ડ રિસર્ચના ડિરેક્ટર ડૉ. કે.એસ. રવિન્દ્રનાથ કરશે. તપાસ પૂર્ણ કરીને 10 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
In the past month alone, in just one district of Hassan, more than twenty people have died due to heart attacks. The government is taking this matter very seriously. To identify the exact cause of these series of deaths and to find solutions, a committee of experts has been… — Siddaramaiah (@siddaramaiah) July 1, 2025
In the past month alone, in just one district of Hassan, more than twenty people have died due to heart attacks. The government is taking this matter very seriously. To identify the exact cause of these series of deaths and to find solutions, a committee of experts has been…
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના X હેન્ડલ પર એક પોસ્ટ પણ લખી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે વિશ્વભરમાં કરવામાં આવેલા સંશોધનથી સાબિત થયું છે કે કોરોના વેક્સીનની આડઅસરો છે. વેક્સીનને ઉતાવળમાં મંજૂરી આપવામાં આવી હતી, જે અચાનક મૃત્યુનું કારણ બની શકે છે. કર્ણાટકના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, 2 વર્ષમાં હસન જિલ્લામાં 507 હાર્ટ એટેકના દર્દીઓ નોંધાયા હતા. તેમાંથી 190 લોકોના મોત થયા છે.
સરકારી વેબસાઇટ પરથી મળેલી માહિતી અનુસાર, કર્ણાટકમાં કોરોના વેક્સીનકરણ 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હતું. સૌ પ્રથમ, આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરોને વેક્સીન આપવામાં આવી હતી. ત્યારબાદ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને દવા આપવામાં આવી હતી. ત્યારબાદ 18-44 વર્ષની વય જૂથના લોકોને વેક્સીન આપવામાં આવી હતી. લોકોને કોવિશિલ્ડ અને કો-વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વેક્સીનેશન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. વેક્સીનેશન માટે કોવિન પોર્ટલ (www.cowin.gov.in), કોવિન-કાર મોબાઇલ એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી હતી. કર્ણાટકમાં કોરોના વેક્સીનનો સ્ટોક બેંગ્લોર, બેલગામ, મૈસુર, કલાબુર્ગી, દક્ષિણ કન્નડ, બાગલકોટ અને ચિત્રદુર્ગમાં કરવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp