'દિલ્લી માર્ચ' પર અડગ ખેડૂતો પરત ફર્યા, પ્રેસ કોન્ફરન્સ કરીને આગળની રણનીતિ જણાવશે
Farmers Protest: ખેડૂતો દ્વારા 'દિલ્હી ચલો' માર્ચને આજની તારીખ માટે મોકૂફ રાખવામાં આવી છે, તેના પર, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, 'બંને મંચોએ આજના 'જથ્થા'ને પાછા બોલાવ્યા છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને ટીયર ગેસનો સામનો કરવો પાડ્યો છે. ખૂબ નુકસાન થયું છે. અમે વધુ વ્યૂહરચના નક્કી કરવા માટે બેઠક યોજીશું.
અમે શાંતિપૂર્ણ રીતે પોલીસને અપીલ કરી છે કે અમને આગળ વધવા દેવામાં આવે. મેં અંબાલાના એસપીને અપીલ કરી છે કે ક્યાં તો અમારી સાથે વાત કરો અથવા અમને શાંતિથી આગળ વધવા દો. અમે બીજા દેશના લોકો નથી. તેમણે એમ ન કહેવું જોઈએ કે અમે દુશ્મન દેશના છીએ.
યુનાઇટેડ કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ, ખેડૂતોએ અગાઉ તેમની માગણીઓના સમર્થનમાં દિલ્હી સુધી પગપાળા કૂચ કરવાની જાહેરાત કરી હતી. તેમની માગણીઓમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી અને અન્ય ઘણી માગણીઓનો સમાવેશ થાય છે. સુરક્ષા દળોએ દિલ્હી તરફની તેમની કૂચ અટકાવ્યા બાદ તેઓ 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનૌરી બોર્ડર પર કેમ્પ કરી રહ્યા છે.
શિવરાજ સિંહ ચૌહાણે ગૃહમાં કહ્યું કે, "હું તમારા માધ્યમથી ગૃહને આશ્વાસન આપવા માગુ છું કે ખેડૂતોની તમામ ઉપજને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. આ મોદી સરકાર છે અને મોદીની ગેરંટીને પૂરી કરવાની ખાતરી છે."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp