તમે થોડી દયા રાખો, ખાલી સારવાર તો પૂરી.....'આખરે ભગવંત માન સરકાર પર કેમ ભડક્યાં મૂસેવાલાના પિતા?જાણો
દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના માતા ચરણ કૌર અને પિતા બલકૌર સિંહના ઘરે બીજા બાળકનો જન્મ થયો છે. બાળકના જન્મના સમાચાર પોતે બલકૌર સિંહે આપ્યા હતા. હવે તેમણે ભગવંત માન સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. બલકૌર સિંહે કહ્યુ કે ભગવંત માન સરકાર આપણા પરિવારને પરેશાન કરી રહી છે. આ બાળકને લીગલ સાબિત કરવા માટે મને જાત-ભાતના પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે. બલકૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો જારી કર્યો છે.
સોશિયલ મીડિયા પર જારી કરવામાં આવેલા વીડિયો નિવેદનમાં બલકૌર સિંહે કહ્યુ, બે દિવસ પહેલા અમારા ઘરમાં વાહેગુરુની કૃપાથી અમારો શુભદીપ(સિદ્ધુ મૂસેવાલા) પાછો આવ્યો હતો. આજે સવારથી હુ ખૂબ પરેશાન છુ. વિચાર્યુ તમને પણ આ વિશે ખબર હોવી જોઈએ કે તંત્ર મને હેરાન કરી રહ્યુ છે. કહી રહ્યુ છે કે તમે આ બાળકના ડોક્યૂમેન્ટ લાવો. હુ સરકારને ખાસ કરીને સીએમ સાહેબને એક વિનંતી કરવા ઈચ્છુ છુ કે તમે થોડી દયા રાખો, ખાલી સારવાર તો પૂરી થવા દો.
ਅਜਿਹਾ ਕਿਹੜਾ ਡਰ ਜਾਂ ਕਿਹੜੀ ਮਜਬੂਰੀ ਹੈ ਕਿ ਸਰਕਾਰ ਇੱਕ ਨਵ-ਜਨਮੇਂ ਬੱਚੇ ਦੀ ਖ਼ੁਸ਼ੀ ਵਿੱਚ ਵਿਘਨ ਪਾ ਰਹੀ ਹੈ? pic.twitter.com/b2y1kFYchn — Sardar Balkaur Singh Sidhu (@iBalkaurSidhu) March 19, 2024
ਅਜਿਹਾ ਕਿਹੜਾ ਡਰ ਜਾਂ ਕਿਹੜੀ ਮਜਬੂਰੀ ਹੈ ਕਿ ਸਰਕਾਰ ਇੱਕ ਨਵ-ਜਨਮੇਂ ਬੱਚੇ ਦੀ ਖ਼ੁਸ਼ੀ ਵਿੱਚ ਵਿਘਨ ਪਾ ਰਹੀ ਹੈ? pic.twitter.com/b2y1kFYchn
ભગવંત માન સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યુ, હુ અહીં રહુ છુ, અહીં રહીશ. તમે જ્યાં બોલાવશો ત્યાં પહોંચીશ. કૃપા કરીને મારી ટ્રીટમેન્ટ પૂરી થવા દો. મે દરેક સ્થળે કાયદાનું પાલન કર્યુ છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે ફરિયાદ નોંધાવીને મને જેલની અંદર બંધ કરી દો. પછી તપાસ કરો. હુ વિશ્વાસ અપાવુ છુ કે હુ તમામ લીગલ ડોક્યુમેન્ટ બતાવીને નિર્દોષ નીકળીશ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp