Rajnath Singh: ‘ઓપરેશન સિંદૂર ખતમ નથી થયું.. માત્ર..’, રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ

Rajnath Singh: ‘ઓપરેશન સિંદૂર ખતમ નથી થયું.. માત્ર..’, રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ

06/21/2025 National

SidhiKhabar

SidhiKhabar

Rajnath Singh: ‘ઓપરેશન સિંદૂર ખતમ નથી થયું.. માત્ર..’, રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ

Rajnath Singh on Operation Sindoor: રક્ષા મંત્રી રાજનાથ સિંહે આતંકવાદ વિરુદ્ધ ભારતના મજબૂત વલણનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે દેશ હવે આતંકવાદનો શિકાર નહીં રહે અને આતંકવાદી કૃત્યોના જવાબમાં તાકત અને રણનીતિના સાથે જવાબ આપશે. રાજનાથ સિંહે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ઉત્તરી કમાન્ડમાં સૈનિકો સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરે આતંકવાદીઓ અને તેમના આશ્રયદાતાઓને એક શક્તિશાળી સંદેશ આપ્યો છે કે નવું ભારત દૃઢ છે, દૃઢનિશ્ચયી છે અને હવે આતંકવાદનો શિકાર નહીં થાય, પરંતુ તાકત અને રણનીતિ સાથે જવાબ આપશે.’ તેમણે પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી માળખાને નષ્ટ કરવામાં સશસ્ત્ર દળો અને ગુપ્તચર એજન્સીઓની ચોકસાઈ, સંકલન અને સાહસની પણ પ્રશંસા કરી અને કહ્યું કે આતંકવાદ પ્રત્યે ભારતની નીતિમાં પરિવર્તન આ અજોડ વીરતા અને સમર્પણનું પરિણામ છે.


ભારત આતંકવાદને સહન નહીં કરે

ભારત આતંકવાદને સહન નહીં કરે

રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરને માત્ર લશ્કરી કાર્યવાહી નહીં, પરંતુ સરહદ પારના આતંકવાદીઓ અને તેમને સમર્થન આપનારાઓને ચેતાવતા જણાવ્યુ કે ભારત હવે આતંકવાદને સહન નહીં કરે અને જો તેની એકતા અને અખંડિતતાને નુકસાન થશે તો જડબાતોડ જવાબ આપશે. ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી, આ માત્ર એક વિરામ છે. હું આપણા પાડોશી દેશને એ બતાવવા માગુ છું.’ તેમણે એક સૈનિકની જિંદગીને સાહસ અને બલિદાનથી ભરેલી ગણાવી અને કહ્યું કે રાષ્ટ્ર હંમેશા સશસ્ત્ર દળો દ્વારા માતૃભૂમિ માટે આપવામાં આવતી સેવાઓનું ઋણી રહેશે.


રાજનાથ સિંહે સૈનિકના જીવનમાં શક્તિ અને સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો

રાજનાથ સિંહે સૈનિકના જીવનમાં શક્તિ અને સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની પૂર્વસંધ્યાએ બારખાનામાં આયોજિત એક કાર્યક્રમમાં રાજનાથ સિંહે સૈનિકોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી અને સૈનિકના જીવનમાં શક્તિ અને સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો. રાજનાથ સિંહે કહ્યું કે, ‘જો તમે મજબૂત હશો, તો આપણી સરહદો મજબૂત બનશે. જ્યારે સરહદો મજબૂત હશે, ત્યારે ભારત મજબૂત બનશે.

આ કાર્યક્રમ હેઠળ ખુખરી નૃત્ય, ભાંગડા, કલારી પટ્ટુ અને ઝાંઝ પટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ પ્રતિક શર્મા અને ભારતીય સેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top