International Yoga Day: ‘તણાવમાંથી પસાર થઈ રહેલી દુનિયા માટે યોગ એક..’, જાણો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM મોદીએ શું કહ્યું?
PM Modi on International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં છે. તેઓ અહી યોગ દિવસની ઉજવણી માટે અહીં આયોજિત કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં બોલતા છેલ્લા એક દાયકામાં યોગની વૈશ્વિક યાત્રાનો ઉલ્લેખ કર્યો. તેમણે એ ઐતિહાસિક ક્ષણને યાદ કરી જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ખૂબ જ ઓછા સમયમાં 175 દેશ ભારત સાથે ઉભા થઈ ગયા. આજની દુનિયામાં આ પ્રકારનું સમર્થન સામાન્ય ઘટના નથી. તે માત્ર એક પ્રસ્તાવને સમર્થન જ નહોતું, તે માનવતાની ભલાઈ માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો.’
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દુર્ભાગ્યથી આજે આખું વિશ્વ કોઈક ને કોઈક તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણા ક્ષેત્રોમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે. એવામાં યોગથી આપણને શાંતિની દિશા મળે છે. યોગ એવું પોઝ બટન છે, જેની માનવતાને સંતુલનનો શ્વાસ લેવા અને ફરીથી નિયંત્રણ મેળવવાની જરૂર છે. આવો આ યોગ દિવસને માનવતા માટે ઓમ શોધવાની શરૂઆતના રૂપમાં ચિહ્નિત કરીએ, જ્યાં આંતરિક શાંતિ, સમગ્ર શાંતિનો માર્ગ બની જાય છે. આજે, 11 વર્ષ બાદ આપણે જોઈ રહ્યા છીએ કે યોગ વિશ્વભરના કરોડો લોકોની જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે. જ્યારે હું જોઉં છું કે આપણા દિવ્યાંગ સાથી યોગ શાસ્ત્રો વાંચે છે. વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે ત્યારે મને ગર્વ થાય છે.’
વડાપ્રધાને કહ્યું કે વિશ્વમાં યોગ ફેલાવવા માટે ભારત યોગના સાયન્સને આધુનિક સંશોધન અને વધુ સશક્ત કરી રહ્યું છે. દેશની મોટી મેડિકલ સંસ્થાઓ યોગ પર સંશોધનમાં કરી રહી છે. યોગની વૈજ્ઞાનિકતાને આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં સ્થાન મળે, તેવો અમારો પ્રયાસ છે. ચાલો આપણે બધા સાથે મળીને યોગને એક જન આંદોલન બનાવીએ. એક એવું આંદોલન, જે વિશ્વને શાંતિ, આરોગ્ય અને સમરસતા તરફ લઈ જાય. જ્યાં દરેક વ્યક્તિ યોગથી દિવસની શરૂઆત કરે છે અને જીવનમાં સંતુલન મેળવે. જ્યાં દરેક સમાજ યોગ સાથે જોડાય અને તણાવથી મુક્ત હોય છે. જ્યાં યોગ માનવતાને એક સૂત્રમાં જોડવાનું માધ્યમ બને અને જ્યાં 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' એક વૈશ્વિક સંકલ્પ બની જાય.
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ‘આ અવસર પર હું વૈશ્વિક સમુદાયને વિનંતી કરવા માગુ છું કે તેઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માનવતા માટે યોગની શરૂઆતના રૂપમાં મનાવવામાં આવે. આ એ દિવસ હોય, જ્યારે આંતરિક શાંતિ એક વૈશ્વિક નીતિ બની જાય, જ્યાં યોગને ન માત્ર એક વ્યક્તિગત અભ્યાસના રૂપમાં અપનાવવામાં આવે, પરંતુ વૈશ્વિક ભાગીદારી અને એકતા માટે એક શક્તિશાળી ઉપકરણના રૂપમાં અપનાવવામાં આવે. દરેક દેશ અને દરેક સમાજે યોગને એક સહિયારી જવાબદારી બનાવવો જોઈએ અને સામૂહિક કલ્યાણની દિશામાં સહિયારું યોગદાન આપવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘યોગ આપણને શીખવે છે કે આપણે અલગ-થલગ નથી, આપણે પ્રકૃતિનો અભિન્ન અંગ છીએ. શરૂઆતમાં તે આપણને આપણા સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું ધ્યાન રાખવામાં મદદ કરે છે. પરંતુ ધીમે-ધીમે આ જાગૃતિ વધે છે, અને આપણે ન માત્ર પોતાના માટે, પરંતુ આપણા પર્યાવરણ, આપણા સમાજ અને આપણા ગ્રહ માટે પણ કાળજી લેવાનું શરૂ કરી દઈએ છીએ. યોગ એક એવી પ્રણાલી છે જે આપણને 'હું' થી 'આપણે' તરફ લઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હિતથી ઉપર ઉઠે છે અને સમાજનું વિચારે છે, ત્યારે જ સમગ્ર માનવતાનું હિત થાય છે. ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે- સર્વે ભવન્તુ સુખિનઃ, એટલે કે, સૌનું કલ્યાણ જ મારું કર્તવ્ય છે. હું થી આપણે સુધીની યાત્રા સેવા, સમર્પણ અને સહઅસ્તિત્વનો આધાર છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp