કેજરીવાલે કરી દીધું કન્ફર્મ! જણાવ્યું- દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થશે કે નહીં
Arvind Kejriwal on AAP Congress Alliance: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળો ચાલી રહી હતી. 10મી ડિસેમ્બરથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અફવાઓ શરૂ થઈ ગઈ હતી. સૂત્રોના સંદર્ભે સમાચાર બહાર આવ્યા હતા કે, દિલ્હી કોંગ્રેસના નેતાઓ AAP સાથે ગઠબંધન કરવા માગે છે.
ત્યારબાદ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના નેતાઓ શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. જે બાદ અટકળોએ વેગ પકડ્યો હતો કે દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. હવે આ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈપણ શક્યતાને નકારી કાઢી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. AAPએ કહ્યું છે કે, દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય.
Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo — Arvind Kejriwal (@ArvindKejriwal) December 11, 2024
Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo
ગઠબંધનના તમામ સમાચારોને ખોટા સાબિત કરતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે. તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું કે, 'આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાની તાકત પર ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp