'અશ્લીલ ગીતો, પાણી ભરેલા ફુગ્ગા ફેંકવા પર પ્રતિબંધ..', મુંબઈ પોલીસે હોળી અગાઉ જાહેર કરી એડવાઈઝ

'અશ્લીલ ગીતો, પાણી ભરેલા ફુગ્ગા ફેંકવા પર પ્રતિબંધ..', મુંબઈ પોલીસે હોળી અગાઉ જાહેર કરી એડવાઈઝરી

03/12/2025 National

SidhiKhabar

SidhiKhabar

'અશ્લીલ ગીતો, પાણી ભરેલા ફુગ્ગા ફેંકવા પર પ્રતિબંધ..',  મુંબઈ પોલીસે હોળી અગાઉ જાહેર કરી એડવાઈઝ

Mumbai police issue advisory for Holi: મુંબઈ પોલીસે હોળી, હોલિકા દહન અને અન્ય હોળી સંબંધિત કાર્યક્રમો માટે કડક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરી 12-18 માર્ચ 2025 સુધી લાગૂ રહેશે. રમઝાન માસને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવામાં આવી છે.


મુંબઈ પોલીસની એડવાઇઝરી

મુંબઈ પોલીસની એડવાઇઝરી

જાહેરમાં કોઈ અશ્લીલ શબ્દો કે સૂત્રોચ્ચાર ન કરવા જોઈએ અથવા અશ્લીલ ગીતો ન વગાડવામાં આવે.

કોઈપણ હાવભાવ, નકલ, ચિત્ર, સંકેત, પોસ્ટર અથવા કોઈપણ વસ્તુનું પ્રદર્શન અથવા પ્રચાર. જેનાથી કોઈપણ વ્યક્તિની પ્રતિષ્ઠા, શિષ્ટાચાર અથવા નૈતિકતાને ઠેસ ન પહોંચે

રાહદારીઓ પર રંગીન પાણી, કલર કે પાવડર ફેંકવા કે છંટકાવ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

રંગીન અથવા સામાન્ય પાણીથી ભરેલા ફુગ્ગા બનાવવા કે ફેંકવા પર પ્રતિબંધ છે.

હોળી અને રંગપંચમીના નામે બળજબરીથી દાન વસૂલનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

14 માર્ચે હોળી અને જુમ્માની શુક્રવારની નમાજ પણ

14 માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવશે, એ દિવસે શુક્રવાર છે. રમઝાન દરમિયાન, શુક્રવારની નમાઝ મુસ્લિમો માટે ખાસ હોય છે. લોકો નમાઝ અદા કરવા ઘરની બહાર આવે છે અને મસ્જિદોમાં ભીડ એકઠી થાય છે. બીજી તરફ, હોળીના દિવસે, હિન્દુઓ તેમના ઘરોમાંથી બહાર આવે છે અને પોત-પોતાના ગલી-મોહલ્લામાં મિત્રો અને સંબંધીઓ સાથે હોળીની ઉજવણી કરે છે.


હોળી અને શુક્રવાર સંબંધી નિવેદનો

હોળી અને શુક્રવાર સંબંધી નિવેદનો

હોળી અને શુક્રવારની નમાજને લઈને પણ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના શ્રમ અને રોજગાર મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સલાહકાર સમિતિના અધ્યક્ષ અને રાજ્યમંત્રી સમકક્ષ દરજ્જો ધરાવતા રઘુરાજ સિંહે તો ત્યાં સુધી કહ્યું કે કોઈપણ અસુવિધાથી બચવા માટે મુસ્લિમ પુરુષોએ 'તાડપત્રીથી બનેલો હિજાબ' પહેરીને જ બહાર જવું જોઈએ.

ભાજપના નેતાનું આ વિવાદાસ્પદ નિવેદન સંભલના એક સર્કલ અધિકારીની ટિપ્પણીના થોડા દિવસો બાદ આવ્યું છે જેમાં સર્કલ અધિકારીએ કહ્યું હતું કે હોળીના રંગોથી અસ્વસ્થતા અનુભવતા લોકોએ ઘરની અંદર જ રહેવું જોઈએ કારણ કે આ તહેવાર વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, જ્યારે જુમ્મા નમાઝ વર્ષમાં 52 વખત થાય છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલ પોલીસ અધિકારીની ટિપ્પણીને સમર્થન આપતા કહ્યું હતું કે અધિકારીએ ભલે પહેલવાન તરીકે વાત કરી હોય, પરંતુ અર્જૂન એવોર્ડ વિજેતાએ જે કહ્યું તે સાચું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top