‘ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ! ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ MEAની પ્રેસ કોન્ફરન્સમાં કરી જાહેરાત
ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાતચીત બાદ યુદ્ધવિરામ પર સહમતિ વ્યક્ત કરી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વીટ કરી છે. આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચાલી રહી હતી, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ હતી.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ MEAની પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, ‘ભારત-પાકિસ્તાનમાં યુદ્ધવિરામ લાગૂ થઈ ગયું છે. આજે બપોરે 3:35 વાગ્યે બંને દેશોના DGMOની વાત થઈ. ત્યારબાદ સીઝફાયર સાંજે 5:00 વાગ્યાથી લાગૂ થઈ ગયું છે.
➤ Foreign Secretary Vikram Misri confirms the implementation of ceasefire during the Press Briefing on #OperationSindoor Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours, earlier this afternoon. It… pic.twitter.com/vECdAsBUYo — PIB India (@PIB_India) May 10, 2025
➤ Foreign Secretary Vikram Misri confirms the implementation of ceasefire during the Press Briefing on #OperationSindoor Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours, earlier this afternoon. It… pic.twitter.com/vECdAsBUYo
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાને તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સહમતિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાન હંમેશાં પોતાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.
Pakistan and India have agreed to a ceasefire with immediate effect. Pakistan has always strived for peace and security in the region, without compromising on its sovereignty and territorial integrity! — Ishaq Dar (@MIshaqDar50) May 10, 2025
Pakistan and India have agreed to a ceasefire with immediate effect. Pakistan has always strived for peace and security in the region, without compromising on its sovereignty and territorial integrity!
ભારત અને પાકિસ્તાન વચ્ચે અચાનક જાહેર કરાયેલા યુદ્ધવિરામ પાછળ એક મોટું રાજનીતિક કારણ છે, વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર છેલ્લા ઘણા દિવસોથી તેમના અમેરિકન સમકક્ષો સાથે સતત વાતચીતમાં સામેલ હતા. આ વાતચીતનો ઉદ્દેશ્ય સીમા પર વધતા તણાવનો અંત લાવવાનો અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો હતો.
અમેરિકન પક્ષે તેને બંને દેશોની ‘સામાન્ય સમજદારી અને બુદ્ધિમતા’નું પરિણામ ગણાવ્યું, અને બંને દેશોને આ નિર્ણય બદલ અભિનંદન આપ્યા. હવે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સીમાઓ પર શાંતિ પુનઃસ્થાપિત થશે અને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે વધુ સકારાત્મક પગલાં લેવામાં આવશે.
અમેરિકના વિદેશ મંત્રીએ કહ્યું કે, છેલ્લા 48 કલાક દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને તેમણે ભારત અને પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ સાથે સઘન વાતચીત કરી છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp