શું તમારા પતિ પણ બિનજરૂરી ગુસ્સે થાય છે, તો તે હોય શકે છે આ રોગથી પીડિત; જાણો શું છે આ રોગના લક્ષણો
સામાન્ય રીતે આ પરિસ્થિતિ દરેકના ઘરે જોવા મળતી હોય છે. પરંતુ ઘણી વાર લોકો તેને વધારે ધ્યાન પર લેતા નથી. ઘણી પત્નીઓ આવું બોલતી હોય છે કે, મારા પતિ ફક્ત પોતાના વિશે જ વિચારે છે, તેને ફક્ત પોતાની જ પડેલી હોય છે, જ્યારે મારો કોઈ દોષ ન હોય ત્યારે પણ તે બિનજરૂરી રીતે બૂમો પાડવા લાગે છે, પતિને માત્ર અટેન્શન જોઈતું હોય છે. જો તમારા પતિ તમારી સાથે આ રીતે વર્તતાં હોય તો સાવધાન રહો અને તપાસ કરવો કે તેમને નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર જેવી બીમારી હોય શકે છે. જે એક પ્રકારની માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ (NPD) છે, આ ડિસઓર્ડર ઘણા પ્રકારના વ્યક્તિત્વ વિકારમાંથી એક છે.
NPD ધરાવતા લોકો પોતાની જાતને વધુ મહત્વ આપે છે, તેઓ ફક્ત તેમની પ્રશંસાને પસંદ કરે છે, આ લોકો પોતાને સર્વસ્વ માને છે, આ એવા લોકો છે જેઓ ફક્ત પોતાની જાતની જ કાળજી રાખે છે. કલ્પના કરો કે, જો તમે આવા વ્યક્તિ સાથે લગ્ન કરો છો, તો તમે તેમને અને તમારા સંબંધોને કેવી રીતે સંચાલિત કરશો.
આ લક્ષણો પરથી તમે સમજી શકો છો કે, તમારા પતિ NPD નો શિકાર છે, પરંતુ આ રોગ મટાડી શકાય છે.
આર્યભટ્ટ કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વર્ષા સિંહ કહે છે કે, ભારતીય સમાજ પુરુષવાદી છે, તેમનો ઉછેર જ આવી વિચારધારા સાથે થયો હોય છે કે, તેઓ મહિલાઓને પોતાના કરતાં ઓછી માને છે, તેથી તેમને NPD જેવી સમસ્યાઓ થવાની શક્યતાઓ વધુ રહે છે.
જ્યારે NPD ગંભીર બને છે, એટલે કે તે એક રોગ તરીકે દેખાવાનું શરૂ કરે છે, તો તમારે તબીબી વ્યાવસાયિકની મદદ લેવી જ જોઇએ, તે પહેલાં તમે ઇચ્છો તો તમે જાતે જ તેનો સામનો કરવાનો પ્રયાસ કરી શકો છો. આ પ્રકારના રોગને ઘણી બધી ઉપચારની જરૂર હોય છે, ઘણા પ્રકારના કસરત પણ આમાં અસરકારક સાબિત થાય છે, પરંતુ શરત એ છે કે, દર્દી પોતે તેની મદદ માટે આગળ આવે, તો જ અન્ય લોકો પણ તેની મદદ કરી શકશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp