નવા IT નિયમોનું પાલન ન કરવા બદલ માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં PIL

નવા IT નિયમોનું પાલન ન કરવા બદલ માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં PIL

05/28/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

નવા IT નિયમોનું પાલન ન કરવા બદલ માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં PIL

નવી દિલ્હી : એક તરફ દિલ્હી હાઇકોર્ટમાં વ્હોટ્સએપે નવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો વિરુદ્ધ અરજી દાખલ કરી છે, ત્યારે બીજી તરફ ટ્વિટર વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટમાં વકીલ અમિત આચાર્યે માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર વિરુદ્ધ કેન્દ્ર સરકારના નવા આઈટી નિયમોને લાગૂ ન કરવા બદલ અરજી દાખલ કરી છે. અમિતે કહ્યું છે કે, મહત્વનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોવાને નાતે ટ્વિટરે કાયદાકીય અને કાર્યકારી ફરજોનું પાલન કરવું જોઈએ.

ટ્વિટરે ગુરુવારે જ નવા આઈટી નિયમોને લઈને પોતાનું નિવેદન જારી કર્યું હતું. તેણે કહ્યું હતું કે, ભારત સરકાર સાથે તે વાતચીત જારી રાખશે. આ સાથે જ ટ્વિટરે ભારતમાં પોતાના કર્મચારીઓની અને પ્લેટફોર્મના લાખો યૂઝર્સની અભિવ્યક્તિની આઝાદી માટે નવા નિયમો સંભવિત ખતરો પેદા કરી શકે છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ટ્વિટરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, અમારી સેવા સાર્વજનિક વાતચીત માટે મહત્વની પુરવાર થઈ છે અને મહામારી દરમિયાન ટ્વિટરે લોકોનો સપોર્ટ કર્યો છે.

ટ્વિટરે કહ્યું હતું કે, તે ભારતમાં પોતાની સેવા ચાલુ રાખવા માટે ભારતમાં લાગૂ કરાયેલા નવા આઈટી નિયમોનું પાલન કરવાની કોશિશ કરશે. આ ઉપરાંત ટ્વિટરે એમ પણ કહ્યું હતું કે, તે ભારત સરકાર સાથે આ મુદ્દે વાતચીત જારી રાખશે. ટ્વિટરનું માનવું છે કે, બંને પક્ષે સહયોગાત્મક દૃષ્ટિકોણ અપનાવવો જરૂરી છે. તેણે કહ્યું હતું કે, જનતાના હિતોની રક્ષા કરવાની સામુહિક જવાબદારી ચૂંટાયેલા અધિકારીઓ, ઉદ્યોગ અને સમાજની છે.

સરકારના નવા આઈટી નિયમોમાં શું છે ?

  • વ્હોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા મોકલવામાં આવેલા અને શેર કરવામાં આવેલા વાંધાજનક અને ગેરકાનૂની મેસેજોના ઓરીજીન (ઉદ્દગમ)ને ટ્રેક કરવા જરૂરી છે. જો કોઈ ફેક પોસ્ટ વાયરલ થઈ રહી હોય તો સરકાર કંપની પાસેથી તેના ઉદ્દગમ અંગેની જાણકારી મેળવી શકે છે.
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મે કોઈ પોસ્ટ માટે મળેલી ફરિયાદ પર પોસ્ટકર્તા વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે. આ માટે કંપનીઓએ 3 અધિકારીઓ – ચીફ કોમ્પ્લિયાંસ ઓફિસર, નોડલ કોન્ટેક્ટ પર્સન અને રેસિડેન્ટ ગ્રાઈવાંસ ઓફિસરની નિમણુક કરવી પડશે. આ અધિકારીઓ ભારતના જ હોવા જોઈએ.
  • કોઈને પોસ્ટ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો તેઓ આ અધિકારીઓ દ્વારા કરી શકે છે. તેમની ફરિયાદ અંગે અપડેટ આપવા માટેની સમયમર્યાદા 15 દિવસની નક્કી કરવામાં આવી છે.
  • કંપનીઓની સીસ્ટમ ઉપર નજર રાખવા માટે સ્ટાફની નિમણુક કરવી પડશે.     

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top