PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ઘાટન, બચ્ચાઓને ખવડાવ્યા; ચિમ્પાન્ઝી, જિરાફ સાથે વિતાવી ક્ષણો, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર, વનતારાનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ PMએ વનતારાની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. વનતારા 2000થી વધુ પ્રજાતિઓ અને દોઢ લાખથી વધુ બચાવવામાં આવેલા લુપ્તપ્રાય અને સંકટગ્રસ્ત પ્રાણીઓનું ઘર છે. PM મોદીએ વનતારામાં વિવિધ સુવિધાઓ વિશે માહિતી મેળવી. સાથે જ અલગ-અલગ જગ્યાએથી રેસ્ક્યૂ કરાયેલા પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ પાસે જઇને તેમને ખવડાવ્યા અને સ્નેહ કર્યો. વડાપ્રધાને વનતારા ખાતે વન્યજીવન હૉસ્પિટલની મુલાકાત લીધી. તેમાં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને અન્ય સુવિધાઓ છે અને તેમાં વન્યજીવન એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા, આંતરિક ચિકિત્સા વગેરે વિભાગો પણ છે.
On World Wildlife Day, PM Shri @narendramodi Ji inaugurated Vantara—India’s pioneering wildlife rescue, rehabilitation, and conservation centre in Jamnagar, Gujarat.Explore this remarkable facility, reinforcing the vision of a sustainable and harmonious future for nature and… pic.twitter.com/ACrJeV8NpB — Sambit Patra (@sambitswaraj) March 4, 2025
On World Wildlife Day, PM Shri @narendramodi Ji inaugurated Vantara—India’s pioneering wildlife rescue, rehabilitation, and conservation centre in Jamnagar, Gujarat.Explore this remarkable facility, reinforcing the vision of a sustainable and harmonious future for nature and… pic.twitter.com/ACrJeV8NpB
PM મોદી અહીં વિવિધ પ્રજાતિના સિંહ બાળો સાથે રમ્યા અને તેમને પ્રેમ કર્યો. આમાં એશિયાટિક વાઘના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, કારાકલ બચ્ચા અને ક્લાઉડેડ ચિત્તાના બચ્ચાનો સમાવેશ થાય છે. ક્લાઉડેડ ચિત્તો એક લુપ્તપ્રાય પ્રજાતિ છે. PMએ જે સફેદ સિંહના બચ્ચાને દૂધ પીવાડ્યું હતું, તેમનો જન્મ કેન્દ્રમાં ત્યારે થયો હતો, જ્યારે તેમની માતાને રેસ્ક્યૂ કરીને વનતારામાં લાવવામાં આવી હતી. ભારતમાં એક સમયે કારાકલની સંખ્યા ઘણી બધી હતી, પરંતુ હવે તે દુર્લભ બની રહી છે. કારાકલને એક સંવર્ધન કાર્યક્રમના ભાગ રૂપે વનતારામાં ઉછેરવામાં આવે છે અને તેમના સંરક્ષણ માટે તેમને કેદમાં રાખવામાં આવે છે અને પછીથી જંગલમાં છોડી દેવામાં આવે છે.
Lion with lion 🦁#PhotoofTheDay#Vantara pic.twitter.com/v5yNei4fND — Vineet Vats Tyagi (@vineetvatstyagi) March 4, 2025
Lion with lion 🦁#PhotoofTheDay#Vantara pic.twitter.com/v5yNei4fND
PM મોદીએ હૉસ્પિટલના MRI રૂમની મુલાકાત લીધી અને એક એશિયાઈ સિંહને MRI કરતા જોયો. આ ઉપરાંત, તેમણે ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી, જ્યાં એક દીપડાની સર્જરી કરવામાં આવી રહી હતી. હાઇવે પર તેને એક કારે ટક્કર મારી હતી, ત્યારબાદ તેને બચાવી લેવામાં આવ્યો હતો અને વનતારા લાવવામાં આવ્યો હતો. અન્ય સ્થળોએથી બચાવેલા પ્રાણીઓને એવા સ્થળોએ રાખવામાં આવે છે જે તેમના કુદરતી રહેઠાણ જેવા હોય છે. વનતારામાં કેટલીક મુખ્ય સંરક્ષણ પહેલોની વાત કરીએ તો એશિયાઈ સિંહ, હિમ ચિત્તો, એક શિંગડાવાળા ગેંડા વગેરેનો સમાવેશ થાય છે.
The way Modi ji interacted with rescued animals at Vantara, pure respect for him 🙌🏻✨ pic.twitter.com/afV6Rbb6ao — Pallavi Pandey (@pallavipandeyy) March 4, 2025
The way Modi ji interacted with rescued animals at Vantara, pure respect for him 🙌🏻✨ pic.twitter.com/afV6Rbb6ao
વડાપ્રધાન મોદીએ વિવિધ હિંસક પ્રાણીઓ સાથે નજીકથી વાર્તાલાપ કર્યો. તેઓ સોનેરી વાઘ, 4 સ્નો ટાઇગર્સની સામસામે બેઠા, જેમણે એક સરકસમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ કરતબ બતાવતા હતા. PM મોદીએ ઓકાપીને થપથપાવ્યો અને ખુલ્લામાં પાલતુ તરીકે રાખવામાં આવેલા ચિમ્પાન્ઝીને પણ મળ્યા. તેઓ ઓરંગુટાન સાથે પ્રેમથી રમ્યા અને ગળે લગાવ્યું, જેને ભારે ભીડમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ PMએ પાણીની નીચે રહેલા એક હિપ્પોપોટેમસને નજીકથી જોયું. મગર જોયા, ઝેબ્રાઓ વચ્ચે ચાલ્યા, જિરાફ અને ગેંડાના બચ્ચાને ખવડાવ્યા. એક શિંગડાવાળા ગેંડાના બચ્ચું અનાથ થઇ ગયું, કારણ કે તેની માતાનું આ સુવિધા કેન્દ્રમાં મૃત્યુ થઈ ગયું.
Seeing Modi ji at Vantara makes you realize how much work goes into saving endangered species. #PMatVantara pic.twitter.com/wVPRn6jhhB — N (@Ichanpyaari) March 4, 2025
Seeing Modi ji at Vantara makes you realize how much work goes into saving endangered species. #PMatVantara pic.twitter.com/wVPRn6jhhB
આ ઉપરાંત, PM મોદીએ એક વિશાળ અજગર, એક અનોખો 2 માથાવાળો સાપ, 2 માથાવાળો કાચબો, ટેપિર, રેસ્ક્યૂ કરાયેલા ચિત્તાના બચ્ચા, વિશાળકાય ઓટર, બોંગો (કાળિયાર) અને સીલ પણ જોયા. તેમણે હાથીઓને તેમના જેકુઝીમાં જોયા. હાઇડ્રોથેરાપી તળાવ, સંધિવા અને પગની સમસ્યાઓથી પીડાતા હાથીઓને સ્વસ્થ થવામાં મદદ કરે છે અને તેમની ચાલ સુધારવામાં મદદ કરે છે. PM મોદીએ એલિફન્ટ હૉસ્પિટલનું કામકાજ પણ જોયું, જે વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હૉસ્પિટલ છે. તેમણે કેન્દ્રમાં રેસ્ક્યૂ કરાયેલા પોપટને પણ છોડી દીધા. ત્યારબાદ, વડાપ્રધાન મોદીએ કેન્દ્રમાં વિવિધ સુવિધાઓની સંભાળ રાખતા ડૉક્ટરો, સહાયક સ્ટાફ અને કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી.
Modi-ji at thre World`s largest Aninmal Rescue Centre - Vantara and itneracts with rescued wildlifeHe is a leader who truly cares for one and all pic.twitter.com/TCuDQE9Slc — Vertigo_Warrior (@VertigoWarrior) March 4, 2025
Modi-ji at thre World`s largest Aninmal Rescue Centre - Vantara and itneracts with rescued wildlifeHe is a leader who truly cares for one and all pic.twitter.com/TCuDQE9Slc
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp