‘ખોખલા ભાષણ આપવાનું બંધ કરો...’, રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન, પૂછ્યા 3 સવાલ

‘ખોખલા ભાષણ આપવાનું બંધ કરો...’, રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન, પૂછ્યા 3 સવાલ

05/23/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

‘ખોખલા ભાષણ આપવાનું બંધ કરો...’, રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન, પૂછ્યા 3 સવાલ

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજી, ખોખલા ભાષણો આપવાનું બંધ કરો. માત્ર બતાવો કે આતંકવાદ પર તમે પાકિસ્તાનની વાત પર ભરોસો કેમ કર્યો? વડાપ્રધાને ગઇકાલે બિકાનેરમાં જનસભાને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયા સામે આવી છે.


બિકાનેરમાં PM મોદીએ શું કહ્યું?

બિકાનેરમાં PM મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ બિકાનેરમાં કહ્યું હતું કે, ગોળીઓ પહેલગામ ચાલી, પરંતુ ગોળીઓ 140 કરોડ દેશવાસીઓના છાતી વિંધાઈ ગઇ હતી. દરેક દેશવાસીઓએ એક થઈને સંકલ્પ લીધો હતો કે આતંકવાદીઓને માટીમાં મળાવી દઇશું. આપણી બહેનોની માગનું સિંદૂર ઉજાળ્યું હતું. આપણા દળોએ એવું ચક્રવ્યૂહ રચ્યું કે પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવી પડી. 22મી તારીખે પહેલગામ હુમલાના જવાબમાં, 22 મિનિટમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો તબાહ કરી દેવામાં આવ્યા. આપણે બધા આતંકવાદીઓ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા પર ખરા ઉતર્યા.


રાહુલે PM મોદીને પૂછ્યા 3 સવાલ

રાહુલે PM મોદીને પૂછ્યા 3 સવાલ

ત્યારબાદ, રાહુલ ગાંધીએ ગુરુવારે સાંજે X પર પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું કે, મોદીજી ખોખલા ભાષણ આપવાનું બંધ કરો. આ સાથે તેમણે વડાપ્રધાન મોદીને 3 સવાલ પૂછતા લખ્યું કે, તમે માત્ર એટલું બતાવો કે- 1. તમે આતંકવાદ પર તમે પાકિસ્તાનની વાત પર ભરોસો કેમ કર્યો? 2. ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતના હિતોની કૂર્બાની કેમ આપી? 3. તમારું લોહી માત્ર કેમેરા સામે જ કેમ ગરમ થાય છે? શું તમે ભારતના સન્માન સાથે સમજૂતી કરી છે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top