RSS ચીફ મોહન ભાગવતનું ‘ઓપરેશન સિંદૂર પર આવ્યું પહેલું નિવેદન

RSS ચીફ મોહન ભાગવતનું ‘ઓપરેશન સિંદૂર પર આવ્યું પહેલું નિવેદન

05/09/2025 National

SidhiKhabar

SidhiKhabar

RSS ચીફ મોહન ભાગવતનું ‘ઓપરેશન સિંદૂર પર આવ્યું પહેલું નિવેદન

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. RSSના વડા મોહન ભાગવતે આ પરિસ્થિતિમાં સરકાર અને સશસ્ત્ર દળો સાથે ઉભા રહેવાની વાત કહી છે.


મોહન ભાગવતે કહી આ મોટી વાત

મોહન ભાગવતે કહી આ મોટી વાત

મોહન ભાગવતે X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર માટે ભારત સરકારના નેતૃત્વ અને સશસ્ત્ર દળોને હાર્દિક અભિનંદન. હિન્દુ યાત્રીઓના નરસંહાર હત્યાકાંડમાં પીડિત પરિવારો અને સમગ્ર દેશને ન્યાય અપાવવાની આ કાર્યવાહીએ સમગ્ર દેશનું આત્મસન્માન અને હિંમત વધારી છે. અમે ભારતીય સરહદ પર ધાર્મિક સ્થળો અને નાગરિક વસાહત વિસ્તારો પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓની નિંદા કરીએ છીએ અને આ હુમલાઓનો ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ.


RSS વડાએ લોકોને કરી આ અપીલ

RSS વડાએ લોકોને કરી આ અપીલ

RSS વડાએ કહ્યું કે, ‘આ પડકારજનક અવસર પર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તમામ દેશવાસીઓને સરકાર અને પ્રશાસન દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરો. તેની સાથે-સાથે, આ અવસર પર આપણે બધાએ નાગરિક ફરજ બજાવતા સાવચેત રહેવું પડશે કે, રાષ્ટ્ર વિરોધી શક્તિઓની સામાજિક એકતા અને સમરસતમે ભંગ કરવાના કાવતરાને સફળ ન થવા દે.

મોહન ભાગવતે કહ્યું કે, ‘બધા દેશવાસીઓને વિનંતી છે કે તેઓ પોતાની દેશભક્તિનો પરિચય આપતા સેના અને નાગરિક પ્રશાસનને શક્ય તમામ સહાય પૂરી પાડવા તત્પર રહે અને રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા જાળવવા માટેના તમામ પ્રયાસો બળ પ્રદાન કરે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top