આગના કારણે મોટી દુર્ઘટના, ભારે ઠંડીમાં શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત

આગના કારણે મોટી દુર્ઘટના, ભારે ઠંડીમાં શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત

12/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

આગના કારણે મોટી દુર્ઘટના, ભારે ઠંડીમાં શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત

Kathua Fire Accident: જમ્મુના કઠુઆમાં બુધવારે સવારે એક મકાનમાં લાગેલી આગમાં 6 લોકોના મોત થઇ ગયા હતા. મળતી માહિતી મુજબ, ઘરમાં 9 લોકો સૂતા હતા, જેમાંથી ગૂંગળામણના કારણે 6 લોકોના મોત થયા હતા, જ્યારે 3 લોકો બેભાન થઈ ગયા હતા. આ ઘટના કઠુઆના શિવનગરમાં બની હતી.


એક પાડોશી પણ બેભાન થઈ ગયો

એક પાડોશી પણ બેભાન થઈ ગયો

મળતી માહિતી મુજબ મદદ માટે આગળ આવનાર એક પાડોશી પણ બેભાન થઈ ગયો છે. બેભાન લોકોની કઠુઆના GMCમાં સારવાર ચાલી રહી છે. શૉર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતકોની ઓળખ ગંગા ભગત (17 વર્ષ), દાનિશ ભગત (15 વર્ષ), અવતાર ક્રિષ્ના (81 વર્ષ), બરખા રૈના (25 વર્ષ), તકશ રૈના (3 વર્ષ), અદ્વિક રૈના (4 વર્ષ) તરીકે થઇ છે. આગની માહિતી મળતા જ પોલીસ અને ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top