સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ, જાણો તેમનું કેવું છે સ્વાસ્થ્ય
Sonia Gandhi admitted to Ganga Ram Hospital: પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે ગેસ્ટ્રો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. જોકે, હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી.
આ અગાઉ 7 જૂનના રોજ, તેમને નિયમિત તબીબી તપાસ માટે શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાને તેમની તબીબી તપાસ બાદ રજા આપી દેવામાં આવી હતી. પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે તેમને બપોરે શિમલાના છરાબડા સ્થિત તેમના ખાનગી નિવાસસ્થાનેથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. IGMCના એક ડૉક્ટરે કહ્યું હતું કે તેમનું બ્લડ પ્રેશર સામાન્ય કરતાં થોડું વધારે હતું પરંતુ તેમણે પુષ્ટિ કરી હતી કે તેઓ સામાન્ય અને સ્થિર હતા.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂના મુખ્ય સલાહકાર (મીડિયા) નરેશ ચૌહાણે કહ્યું હતું કે, કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ"ને કારણે તેમને નિયમિત તપાસ માટે લઈ જવામાં આવી હતી. તાજેતરના મહિનાઓમાં આ પહેલી વાર નથી જ્યારે ગાંધીને તબીબી તપાસ કરાવવી પડી હોય. ફેબ્રુઆરીમાં, તેમને પેટ સંબંધિત સમસ્યાઓ માટે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોનિયા ગાંધીને તાજેતરના વર્ષોમાં ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. થોડા મહિના અગાઉ, તેમને પેટ સંબંધિત સમસ્યાઓ માટે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે દરમિયાન તેઓ ગેસ્ટ્રોએન્ટેરોલોજી નિષ્ણાતની દેખરેખ હેઠળ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp