પહેલા માળા પહેરાવી, પછી થપ્પડ વરસાવી, સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના અધ્યક્ષની મંચ પર થઈ ગઈ કુટાઈ;

પહેલા માળા પહેરાવી, પછી થપ્પડ વરસાવી, સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના અધ્યક્ષની મંચ પર થઈ ગઈ કુટાઈ; જુઓ વીડિયો

06/11/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

પહેલા માળા પહેરાવી, પછી થપ્પડ વરસાવી, સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના અધ્યક્ષની મંચ પર થઈ ગઈ કુટાઈ;

ઉત્તર પ્રદેશના ઝોનપુરમાં સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર રાજભરને થપ્પડ મારવામાં આવી. જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નહોરા આશાપુરી ગામમાં મંગળવારે આયોજિત એક ભૂમિપૂજન સમારોહ દરમિયાન, પહેલા તેમને માળા પહેરાવવામાં આવી હતી. ત્યારબાદ, થપ્પડનો વરસાદ શરૂ થયો. તેમને માર મારનાર બીજું કોઈ નહીં પણ તેમની પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ બ્રૃજેશ રાજભર હતા. મંચ પર થપ્પડ મારવાનો વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

જલાલપુરના નહોરા આશાપુરીમાં રાજભર સમુદાયનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમમાં સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના જ રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર રાજભર ઉપસ્થિત હતા. આ દરમિયાન, પાર્ટીના જ બ્રૃજેશ રાજભરે મહેન્દ્ર રાજભરને એક મોટી માળા પહેરાવી. માળા પહેરાવ્યા બાદ, અચાનક તેમને થપ્પડ મારવા લાગ્યા. થપ્પડ પડતા જ મંચ અને સામે અફરાતફરી મચી ગઈ.


ઓપી રાજભરે ષડયંત્રથી મરાવ્યો- મહેન્દ્ર

ઓપી રાજભરે ષડયંત્રથી મરાવ્યો- મહેન્દ્ર

સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર રાજભરે થપ્પડ મારવાની આખી ઘટનાને SBSPના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરનું કાવતરું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, બ્રૃજેશ રાજભર થોડા દિવસ અગાઉ ઓ.પી. રાજભરને મળવા ગયા હતા. આ ઘટના બાદ મહેન્દ્ર રાજભરે જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.


PM મોદીએ બતાવ્યા હતા કટ્ટપ્પા

PM મોદીએ બતાવ્યા હતા કટ્ટપ્પા

મહેન્દ્ર રાજભર મઉ જિલ્લાના રહેવાસી છે. તેમણે અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP) અને SBSPના ગઠબંધનમાં 2017ની વિધાનસભા ચૂંટણી લડી હતી. જોકે, આ ચૂંટણીમાં તેમને મુખ્તાર અંસારી સામે લગભગ 6000 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેન્દ્ર રાજભરને 'કટ્ટપ્પા' કહ્યા હતા. તેમણે મંચ પરથી કહ્યું હતું કે, આ એજ વ્યક્તિ છે, જે બાહુબલીનો સફાયો કરશે.

થપ્પડકાંડથી રાજનીતિક ગલિયારામાં હલચલ

સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર રાજભરની થપ્પડકાંડ રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં તેઓ અખિલેશ યાદવની નજીક આવી ગયા હતા. આ કારણે, તેમને સ્ટેજ પર અપમાનિત કરવામાં આવ્યા. જોકે, આ ઘટનાને પરસ્પર વિખવાદ અને ષડયંત્ર બંનેના દૃષ્ટિકોણથી જોવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top