Syria News: સીરિયાની રાજધાની દમિશ્કમાં મોટો આત્મઘાતી હુમલો, 15 લોકોના મોત
Syria News: રવિવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ચર્ચમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે એક ભયાનક આત્મઘાતી વિસ્ફોટ થયો. આ હુમલામાં 15 લોકો માર્યા ગયા અને 13 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ હુમલો રાજધાનીના મધ્યમાં થયો હતો, જે સીરિયન શાસનનો સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે. સરકારી મીડિયાએ તેને કાયર આતંકવાદી હુમલો ગણાવ્યો છે, જોકે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, સીરિયાની રાજધાની દમાસ્કસના ડ્વેલા વિસ્તારમાં સ્થિત સેન્ટ એલિયાસ ચર્ચમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં 15 લોકો માર્યા ગયા. સીરિયાઈ સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરે ચર્ચની અંદર જઈને પોતાને ઉડાવી દીધો.
સીરિયાઈ ગૃહ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દમિષ્કના ડ્વેલા વિસ્તારમાં સ્થિત સેન્ટ એલિયાસ ચર્ચમાં ભયાનક આત્મઘાતી હુમલો આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા એક આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવ્યો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર, હુમલાખોર પહેલા ચર્ચમાં ઘૂસ્યો, ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને પછી વિસ્ફોટક જેકેટથી પોતાને ઉડાવી દીધો.
સીરિયાના માહિતી મંત્રી ડૉ. હમઝા અલ-મુસ્તફાએ આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને કહ્યું કે અમે ડ્વેલામાં ચર્ચ પર થયેલા આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ અને મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ કાયરતાપૂર્ણ કૃત્ય નાગરિક એકતા અને ભાઈચારાના અમારા મૂલ્યોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે સીરિયાઈ સમાજ રાષ્ટ્રીય એકતા અને નાગરિક શાંતિમાં માને છે અને તમામ સમુદાયો વચ્ચે ભાઈચારાને મજબૂત બનાવવાની જરૂર છે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે સરકાર દેશવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp