Ahmedabad Plane Crash: અમેરિકા મોકલવામાં આવશે અમદાવાદ ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ, જાણો તેની પાછળનું કારણ
Air India Black Box: અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાંથી મળેલું બ્લેક બોક્સ હવે અમેરિકા મોકલવામાં આવશે. એક અહેવાલ મુજબ, તેના વિશ્લેષણ માટે અમેરિકા મોકલવું પડી શકે છે. આ અકસ્માતમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન ક્રેશ થયું હતું, જેમાં 241 લોકો અને જમીન પર 33 લોકોના મોત થઈ ગયા હતા. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થઈ ગયું.
અંગ્રેજી અખબાર ઇકોનોમિક ટાઈમ્સ (ET)ના અહેવાલ મુજબ, અકસ્માત બાદ લાગેલી આગથી રેકોર્ડરને ભારે નુકસાન પહોંચ્યું છે. આ જ કારણ છે કે ભારતમાં તેના ડેટા કાઢવા અસંભવ થઈ ગયા છે અને તેને અમેરિકા મોકલી શકાય છે. ભારતીય અધિકારી એર ઇન્ડિયા બોઇંગ ડ્રીમલાઇનરના ક્રેશની તપાસ કરી રહ્યા છે, જેમાં 241 લોકો અને જમીન પર 33 લોકોના મોત થઇ ગયા હતા. આ એક દાયકામાં દુનિયાનો સૌથી ભીષણ વિમાન અકસ્માત માનવામાં આવે છે.
ભારતના વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરોએ આ બાબતે ટિપ્પણી માટે રોઇટર્સના સવાલોનો જવાબ ન આપ્યો. તો એર ઇન્ડિયાએ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સીટ નંબર 11A પર બેઠેલા મુસાફરની જેમ, મેડિકલ કોલેજ મેસમાં બીજા વર્ષના વિદ્યાર્થી રિતેશ કુમારનો ચમત્કારિક રીતે બચાવ થયો. છત તોડીને પડી રહેલા વિમાનના કાટમાળ વચ્ચે ઢાળની જેમ આવેલા એક ટેબલે તેનો જીવ બચાવી લીધો. બિહારના બેગુસરાયના મહેદશાહપુરનો રહેવાસી રિતેશ હાલમાં ઊંડા આઘાતમાં છે અને અમદાવાદની એક હોસ્પિટલના ICUમાં દાખલ છે. અકસ્માતના લગભગ 5 કલાક બાદ, તેણે તેની માતા સુનૈના દેવીને ફોન પર આ ભયાનક નજારા બાબતે જણાવ્યું હતું.
રિતેશ જણાવ્યું કે તે મિત્રો સાથે ખાવા માટે કોલેજની મેસમાં ગયો હતો. અમે હસી-મજાક વચ્ચે મોઢામાં પહેલો કોળિયો જ ખાધો હતો કે જોરદાર અવાજ થયો અને વિમાનનો કાટમાળ પડવા લાગ્યો. મારા ઉપર વિમાનમાં રાખેલી ટ્રોલીઓ મારા પર પડવા લાગી. ગભરાટમાં હું કંઈ ન સમજી શક્યો. અચાનક મારા ઉપર એક ટેબલ આવી ગયું. જેથી મારો જીવ બચી ગયો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp