હનીમૂન પર હત્યાકાંડ! સોનમ-રાજાની રીયલ લાઈફ સ્ટોરીમાં તો વેબ સીરીઝ કરતા ય વધુ ખતરનાક ટ્વિસ્ટ! સો

હનીમૂન પર હત્યાકાંડ! સોનમ-રાજાની રીયલ લાઈફ સ્ટોરીમાં તો વેબ સીરીઝ કરતા ય વધુ ખતરનાક ટ્વિસ્ટ! સોનમે કહ્યું...

06/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

હનીમૂન પર હત્યાકાંડ! સોનમ-રાજાની રીયલ લાઈફ સ્ટોરીમાં તો વેબ સીરીઝ કરતા ય વધુ ખતરનાક ટ્વિસ્ટ! સો

ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીના લગ્ન સોનમ નામની કન્યા સાથે થયા, અને બંને જણ હનીમૂન માટે મેઘાલય ફરવા ગયા. એ પછી રાજા અચાનક ગુમ થઇ ગયો. બાદમાં એની હત્યા થયેલી લાશ મળી આવી. શરૂઆતમાં લાગતું હતું કે કોઈક ગેંગ દ્વારા સોનમનું અપહરણ કરવામાં આવ્યું છે. પણ પછી વાર્તામાં ટ્વિસ્ટ આવ્યો અને પોલીસ સોનમને પકડી લાવી. પોલીસ તપાસમાં બીજો ખતરનાક ટ્વિસ્ટ એવો આવ્યો કે ખુદ સોનમે જ હનીમૂન દરમિયાન પોતાના પતિની હત્યા કરી છે! આટલું ઓછું હોય એમ સોનમે પોતે કંઈક જુદી જ વાતનો ખુલાસો કર્યો છે.


સોનમ બારસો કિલોમીટર દૂર સુધી કઈ રીતે ભાગી?

સોનમ બારસો કિલોમીટર દૂર સુધી કઈ રીતે ભાગી?

એક અઠવાડિયા પહેલા, 29 વર્ષીય રાજાનો સડો પામેલો મૃતદેહ મળી આવ્યો હતો. સોમવારે, 25 વર્ષીય સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં - 1,200 કિમીથી વધુ દૂર - રસ્તાની બાજુમાં એક ખાણીપીણીની દુકાનમાં મળી આવી હતી અને તેના પતિની હત્યાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. મેઘાલય પોલીસે જણાવ્યું હતું કે સોનમ રઘુવંશીએ કથિત રીતે તેના બોયફ્રેન્ડ રાજ કુશવાહ સાથે મળીને તેના પતિ રાજા, જે એક ઉદ્યોગપતિ છે, ને લગ્નના લગભગ બે અઠવાડિયા પછી હનીમૂન દરમિયાન મારી નાખવા માટે ત્રણ અન્ય માણસોને ભાડે રાખવાનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ સોનમ આટલા કિલોમીટર દૂર સુધી વગર પકડાયે કે ટ્રેક થયે કેવી રીતે નાસી શકી તે અસ્પષ્ટ છે.

ગાઝીપુરના પોલીસ અધિક્ષક ઇરાઝ રાજાએ જણાવ્યું હતું કે, ઇન્દોરની રહેવાસી સોનમ રઘુવંશી, જે તેમના હનીમૂન પર તેના પતિ રાજા રઘુવંશીની હત્યાનું આયોજન કરવાનો આરોપ છે, તેને સોમવારે વારાણસી-ગાઝીપુર મુખ્ય માર્ગ પર 'કાશી ધાબા' પાસેથી ધરપકડ કરવામાં આવી હતી ડીજીપીએ કહ્યું  હતું કે "અત્યાર સુધી, અમને જે ખબર છે તે એ છે કે સોનમ અને કુશવાહાએ રાજાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું જેથી તેઓ સાથે રહી શકે.”


સોનમની વાતથી નવો જ ટ્વિસ્ટ આવશે?

સોનમની વાતથી નવો જ ટ્વિસ્ટ આવશે?

બીજી તરફ સોનમ પોતે આખી વાતનું એક નવું જ વર્ઝન રજૂ કરી રહી છે. સોનમ રઘુવંશીને સારવાર માટે સદર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી અને પછી તેને વન-સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. આ વન-સ્ટોપ સેન્ટર મહિલાઓને તબીબી અને કાનૂની સહાય પૂરી પાડે છે. અહીં સોનમે હત્યાના આરોપોને નકારી કાઢ્યા છે. સોનમનું કહેવું છે કે તેનું અપહરણ થયું હતું અને તેણે કોઈની હત્યા નથી કરી. સોનમના પરિવારજનોએ તેનો બચાવ કર્યો છે.

જોવાનું એ છે કે શું ખરેખર સોનમનું અપહરણ થયું હતું? જો હા તો અપહરણકારો એની સાથે ખરેખર શું કરવા માંગતા હતા? શા માટે સોનમને ઘટનાસ્થળેથી ઠેઠ બારસો કિલોમીટર દૂર સુધી લઇ જવામાં આવી? કે પછી પોલીસની થિયરી સાચી છે? આવનારા સમયમાં પોલીસ તપાસ આગળ વધશે ત્યારે આ પ્રશ્નોના જવાબ મળશે. હાલમાં તો સોનમે જ પોતાના ભૂતપૂર્વ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાની થિયરીને બળ મળી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top