માતા અને પત્નીના ઝગડાને લીધે કંટાળ્યો આ અભિનેતા, ઘર છોડીને હોટલમાં રહેવા થયો મજબૂર
એક સમયે પોતાની ફિલ્મો માટે લાઈમલાઈટમાં રહેતો નવાઝુદ્દીન સિદ્દીકી આ દિવસોમાં પોતાના ઘરેલુ વિવાદોને કારણે ચર્ચામાં છે. નવાઝુદ્દીને મહેનત કરીને સંપત્તિ કમાવી, આલીશાન ઘર બનાવ્યું, પરંતુ આ સંપત્તિ તેના જીવન માટે સમસ્યા બની ગઈ છે. મહેલ જેવા વૈભવી મકાનો હોવા છતાં નવાઝુદ્દીન પોતાના ઘરે રહી શકતો નથી.
નવાઝુદ્દીનનો તેની પત્ની આલિયા સિદ્દીકી સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આલિયાએ નવાઝુદ્દીન અને તેની માતા પર ઘરેલુ હિંસાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ દિવસોમાં ઘરના ઝઘડાઓને કારણે અભિનેતાનું જીવન નરક બની ગયું છે. મુંબઈમાં એક આલીશાન બંગલાના માલિક નવાઝુદ્દીનની હાલત એવી થઈ ગઈ છે કે તે પોતાનું ઘર છોડીને હોટલમાં રહેવા મજબૂર છે.
નવાઝુદ્દીન સિદ્દીકીની માતા મેહરૂન્નિસા અને પત્ની આલિયા સિદ્દીકી વચ્ચે પ્રોપર્ટીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. તાજેતરમાં જ નવાઝુદ્દીનની માતાએ આલિયા સામે બળજબરીથી ઘરમાં ઘૂસવા બદલ ફરિયાદ નોંધાવી હતી. નવાઝની માતાનો આરોપ છે કે આલિયા હવે નવાઝની પત્ની નથી. આલિયાએ અભિનેતા અને તેના પરિવાર પર ઘરેલુ હિંસાનો આરોપ પણ લગાવ્યો છે.
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના ઘરમાં ચાલી રહેલા વિવાદથી પરેશાન થઈને હોટલમાં રોકાઈ રહ્યો છે. નવાઝના એક મિત્રએ જણાવ્યું કે જ્યાં સુધી તેના ઘરના મુદ્દાનો કાનૂની ઉકેલ નહીં મળે ત્યાં સુધી નવાઝ હોટલમાં જ રહેશે. જણાવી દઈએ કે નવાઝુદ્દીને અંધેરીના યારી રોડ પર વ્હાઈટ હાઉસ જેવો આલીશાન બંગલો બનાવ્યો છે. ગયા વર્ષે જ આ ઘરમાં શિફ્ટ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નવાઝે તેના પિતાના નામે ઘર બનાવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp