નેપાળમાં જેન-ઝી આંદોલનનો ભોગ બન્યો ભારતનો આ પરિવાર, સર્જાય કાળજું કંપાવનારી ઘટના!? જાણો
નેપાળમાં જેન-ઝી દ્વારા શરૂ થયેલ હિંસક આંદોલનનો એક ભારતીય પરિવાર ભોગ બન્યો છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજ નજીક ભારત-નેપાળ સરહદ પર ગાઝિયાબાદની એક મહિલાનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ હિંસા પહેલા ગાઝિયાબાદના ટ્રાન્સપોર્ટર રામવીર સિંહ ગોલા અને તેની પત્ની રાજેશ દેવી પશુપતિનાથ મંદિરના દર્શન માટે કાઠમંડુ ગયા હતા. પરંતુ ત્યારબાદ Gen-Z દેખાવકારો હિંસા ફાટી નીકળતા તે બંને જે હોટલમાં રોકાયા હતા તેમાં આગ લગાવી દીધી હતી. અને આ આગથી બચવા દંપતી હોટલના ચોથા માળેથી કૂદી પડ્યા હતા.
મૃતક મહિલાના મોટા દીકરા વિશાલે જણાવ્યું હતું કે, 'આઠમી સપ્ટેમ્બરે પશુપતિનાથ મંદિરમાં પૂજા કર્યા પછી મારા માતા-પિતા ખૂબ ખુશ હતા. તેમણે અમને કાઠમંડુ બતાવવા માટે એક વીડિયો કોલ પણ કર્યો હતો. પરંતુ નવમી સપ્ટેમ્બરની રાત્રે હિંસા ફાટી નીકળી હતી. ત્યારે રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યે, બદમાશોએ હોટલમાં આગ લગાવી દીધી હતી. જ્યારે સીડીઓ ધુમાડાથી ભરાઈ ગઈ, ત્યારે મારા પિતાએ બારીના કાચ તોડી નાખ્યા. બંનેનો રૂમ ચોથા માળે હતો. પિતાએ ચાદર બાંધી અને હોટલની નીચે બચાવ ટીમ દ્વારા મૂકેલા ગાદલા પર કૂદી પડ્યા. પરંતુ મારી માતા નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે લપસી ગઈ અને તેમની પીઠ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન, તોફાનીઓએ ફરીથી હુમલો કર્યો. અંધાધૂંધી વચ્ચે, દંપતી અલગ થઈ ગયું. રામવીરને નાની ઈજાઓ પહોંચી હતી, પરંતુ તેની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અને સારવાર દરમિયાન 10મી સપ્ટેમ્બરની રાત્રે તેનું મૃત્યુ નિપજ્યું હતું.
પરિવાર દ્વારા આરોપ લગાવાયો છે કે, ત્યાની સેનાના જવાનો રાજેશ દેવીને કારમાં હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ રામવીર સિંહ ગોલા દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં, ઈજાગ્રસ્ત પત્ની સાથે બેસવા દેવામાં આવ્યા ન હતા. 2-3 કલાકની શોધખોળ પછી, રામવીર સિંહને તે હોસ્પિટલ મળી જ્યાં તેમની પત્ની દાખલ હતી. ત્યાં ગયા પછી, તેમને ખબર પડી કે તે હવે આ દુનિયામાં નથી. તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ઉપરાંત પરિવાર દ્વારા આરોપ લગાવાયો છે કે, ઘાયલ થયા પછી તેમની માતાની યોગ્ય સારવાર કરવામાં આવી ન હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું છે. અહેવાલો અનુસાર, ભારતીય શ્રદ્ધાળુઓના ઘણાં જૂથો નેપાળમાં ફસાયેલા છે. મહારાજગંજમાં ભારત-નેપાળ સરહદ પર પાછા ફરતા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે કારણ કે વધતી જતી હિંસા વચ્ચે ઘણાં પ્રવાસીઓએ તેમની યાત્રાઓ ટૂંકી કરી દીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp