T20 વર્લ્ડકપ વચ્ચે ભારતના આ સ્ટાર ક્રિકેટરે લીધો સંન્યાસ..! T20થી આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત

T20 વર્લ્ડકપ વચ્ચે ભારતના આ સ્ટાર ક્રિકેટરે લીધો સંન્યાસ..! T20થી આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી; જાણો વિગત

06/06/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

T20 વર્લ્ડકપ વચ્ચે ભારતના આ સ્ટાર ક્રિકેટરે લીધો સંન્યાસ..!  T20થી આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત

Kedar Jadhav Announced his Retirement : ભારતના સ્ટાર ક્રિકેટર કેદાર જાધવે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. કેદારે ભારત માટે તેની છેલ્લી મેચ ફેબ્રુઆરી 2020માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. 39 વર્ષીય કેદારે 3 જૂન સોશિયલ મીડિયા પર બપોરે 3 વાગ્યે પોસ્ટ કરીને આ માહિતી આપી કેદાર જાધવે સોશિયલ મીડિયા એપ X પર લખ્યું કે


હું ક્રિકેટના તમામ- કેદાર જાધવે

હું ક્રિકેટના તમામ- કેદાર જાધવે

કેદાર જાધવે કહ્યું કે મારા સમગ્ર કરિયર દરમિયાન આપ સૌનો પ્રેમ અને સમર્થન મળ્યું તે માટે આપ સૌનો આભાર. આજે 3 વાગ્યાથી હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત જાહેર કરુ છું.'કેદાર જાધવે વર્ષ 2014માં શ્રીલંકા સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમજ કેદાર જાધવે ભારત માટે 73 ODI મેચ રમી હતી. જેમાં તેણે 42.09ની એવરેજથી 1389 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 101.60 રહ્યો છે. કેદાર જાધવે વન ડેમાં 2 સદી અને 6 અડધી સદી ફટકારી હતી.



આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી

આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી

કેદાર જાધવે વન ડે ઈન્ટરનેશનલમાં પોતાની સ્પિનનો જાદુ બતાવતા તેણે 27 વિકેટ પણ લીધી. કેદાર જાધવે 2015માં ઝિમ્બાબ્વે સામેની મેચથી તેની T20 આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. કુલ 9 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેદાર જાધવે 20.33ની એવરેજથી 122 રન બનાવ્યા છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top