આ જગ્યાએ મોટો અકસ્માત, નદી પર બનેલો પુલ તૂટતા 25-30 લોકો વહેવાના અહેવાલ

આ જગ્યાએ મોટો અકસ્માત, નદી પર બનેલો પુલ તૂટતા 25-30 લોકો વહેવાના અહેવાલ

06/15/2025 National

SidhiKhabar

SidhiKhabar

આ જગ્યાએ મોટો અકસ્માત, નદી પર બનેલો પુલ તૂટતા 25-30 લોકો વહેવાના અહેવાલ

Maharashtra Bridge Collapses: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં ઈન્દ્રાયણી નદી પર બનેલા પુલનો અડધો ભાગ તૂટી પડ્યો છે. જ્યારે પુલ પડ્યો ત્યારે તેના પર 100થી વધુ લોકો હાજર હતા. બચાવ કામગીરી ચાલુ છે. આ અકસ્માતમાં 25-30 લોકો તણાઈ ગયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને 32 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 6 લોકોની હાલત ગંભીર છે. તો, પ્રાથમિક માહિતી અનુસાર, નદીમાં ડૂબી રહેલા 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

પુણેના માવલમાં કુંડ માલ ખાતે પુલ તૂટી પડવાથી કેટલાક પ્રવાસીઓ ડૂબી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. પિંપરી-ચિંચવાડ પોલીસ કમિશનરેટની તલેગાંવ દાભાડે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કુંડમાલા પાર કરવા માટે એક પુલ છે, જે તૂટી પડ્યો છે. રવિવાર હોવાથી ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. કેટલાક લોકો પુલ પર ઉભા હતા. એ જ સમયે, પુલ તૂટી પડવાને કારણે આ અકસ્માત થયો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો ટૂ-વ્હીલર બાઇક લઈને પુલ પર ચઢ્યા હતા. ત્યાં ખૂબ ભીડ હતી અને બાઇક પણ આવી રહી હોવાથી પુલ ઓવરલોડ થઈ ગયો હતો અને આ અકસ્માત થઈ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ જર્જરિત હાલતમાં હતો. ઘટનાસ્થળે 10-12 એમ્બ્યુલન્સ હાજર છે અને NDRFની 2 ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.


CM ફડણવીસનું નિવેદન આવ્યું સામે

CM ફડણવીસનું નિવેદન આવ્યું સામે

CM ફડણવીસે કહ્યું કે, ‘અકસ્માત સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પુલ તૂટી પડવાથી ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. નદીમાં વહી ગયેલા લોકોને બચાવવા અમારી પ્રાથમિકતા છે.

NCP નેતા સુપ્રિયાએ કહ્યું કે, ‘પુણે જિલ્લાના માવલ તાલુકાના કુંડમાલામાં ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ તૂટી પડ્યો. એવી આશંકા છે કે પુલ પર હાજર કેટલાક નાગરિકો તણાઈ ગયા હશે. આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધા નાગરિકો સુરક્ષિત રહે. મેં આ ઘટનાને લઈને પુણેના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે અને તેઓ જરૂરી તમામ સહાય મોકલી રહ્યા છે. નાગરિકોને મારી નમ્ર અનુરોધ છે કે કૃપયા ને ચોમાસામા પ્રવાસન માટે જતી વખતે જરૂરી સાવચેતી રાખો. સલામતીના નિયમોનું કડક પાલન કરો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top