ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત સોમવારે (12 સપ્ટેમ્બર) સાંજે કરવામાં આવી હતી, જેમાં કોઈ ચોંકાવનારો નિર્ણય જોવા મળ્યો નથી.
પરંતુ એ વાત ચોક્કસ છે કે ગત વર્લ્ડ કપ 2021થી આ વખતે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ગત વખતે ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. આ વખતે ખેલાડીઓની સાથે કેપ્ટનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થવાનો છે અને ફાઈનલ 13 નવેમ્બરે રમાશે.
જો કે, ગયા વર્ષે વિરાટ કોહલીએ વર્લ્ડ કપ બાદ કેપ્ટન્સી પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી હતી. હવે તે વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ ઉપરાંત ઘાયલ રવીન્દ્ર જાડેજાને પણ બહાર રાખવામાં આવ્યા છે. જ્યારે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. આ માટે BCCIની પણ આકરી ટીકા થઈ રહી છે.
ચાહકો અને ઘણા દિગ્ગજો માને છે કે શમી ટીમમાં હોવો જોઈએ. ગયા વર્ષે, લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પડતો મૂકવામાં આવ્યો હતો, જેની ભારે ટીકા થઈ હતી. પરંતુ હવે તેને ટીમમાં જગ્યા મળી ગઈ છે. જ્યારે 2007માં પહેલો વર્લ્ડ કપ રમનાર દિનેશ કાર્તિક પણ ટીમમાં આવી ગયો છે, જે ગત વખતે ત્યાં નહોતો.
ગયા વર્લ્ડ કપથી આ વખતે શું બદલાયું
*વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે, બંને ખેલાડીઓ ટીમમાં સામેલ છે.
*ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને સ્થાને વિકેટકીપર-ઓપનર ઈશાન કિશનના બદલે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
*વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના બદલે સમાવેશ કરવામાં આવ્યો છે.
*ફાસ્ટ બોલર હર્ષલ પટેલને સ્પિનર વરુણ ચક્રવર્તીની જગ્યાએ સામેલ કર્યો છે
* સ્પિનર રાહુલ ચહરની જગ્યાએ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
*અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીના સ્થાને યુવા ઝડપી બોલર અર્શદીપને તક મળી છે.
T20 વર્લ્ડ કપ 2021 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ઋષભ પંત (વિકી), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, રાહુલ ચાહર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર.
સ્ટેન્ડબાય પ્લેયર્સ - શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, દીપક ચહર.
T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકી), દિનેશ કાર્તિક (વિકી), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ - મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.