11/04/2025
12 જૂન 2025નો દિવસ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે. આ દિવસે અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ ગુજરાત સહિત દેશને હચમચાવી નાખ્યો હતો. લંડન જતી ફ્લાઇટમાં 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ એક પેસેંજરનો ચમત્કારિક બચાવ થયો હતો. 11A સીટ પર બેઠેલા વિશ્વકુમાર રમેશ એકમાત્ર મુસાફર હતા, જેનો જીવ બચી ગયો હતો. દુર્ઘટના બાદ તે કાટમાળમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. બધાએ તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ ગણાવ્યો, પરંતુ રમેશ હજુ પણ અકસ્માતની દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે. તેમની શારીરિક ઇજાઓમાંથી સારો થઈ રહ્યો છે, પરંતુ માનસિક ઘા એટલા ઊંડા છે કે તેઓ તેમના પરિવારથી દૂર થઈ ગયા છે.
રમેશનો નાનો ભાઈ અજય દુર્ઘટના સમયે થોડી સીટ દૂર બેઠો હતો. આ અકસ્માતમાં તેનું મોત થઈ ગયું. રમેશની આંખો આજે પણ ભીની થઈ જાય છે જ્યારે તે કહે છે કે, ‘હું એકમાત્ર સર્વાઈવર છું. મને હજુ પણ વિશ્વાસ થતો નથી. આ ચમત્કાર છે, પરંતુ મેં મારો ભાઈ ગુમાવી દીધો. અજય મારી કરોડરજ્જુ હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે હંમેશાં મારો સાથ આપ્યો હતો.’
અજયના નિધનથી રમેશ એકલતા અનુભવે છે. BBC સાથે વાત કરતા તેણે કહ્યું કે, ‘હવે હું એકલો છું. હું મારા રૂમમાં એકલો બેસી રહું છું. હું મારી પત્ની કે પુત્ર સાથે વાત કરતો નથી. બસ ઘરમાં એકલો રહેવાનું પસંદ કરું છું.’