ઓપરેશન સિંદૂર: સેના પાકિસ્તાનની અંદર મિસાઇલો છોડી રહી હતી, ત્યારે જયશંકર-ડોભાલ આ કામમાં વ્યસ્ત

ઓપરેશન સિંદૂર: સેના પાકિસ્તાનની અંદર મિસાઇલો છોડી રહી હતી, ત્યારે જયશંકર-ડોભાલ આ કામમાં વ્યસ્ત હતા

05/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઓપરેશન સિંદૂર: સેના પાકિસ્તાનની અંદર મિસાઇલો છોડી રહી હતી, ત્યારે જયશંકર-ડોભાલ આ કામમાં વ્યસ્ત

Operation Sindoor: વચન મુજબ, ભારતીય સેનાએ પહેલગામમાં આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓનો નાશ કર્યો છે. ગઈકાલે રાત્રે, ભારતીય સેનાએ પાકિસ્તાનની ધરતી પર ફળી-ફૂલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોનો વરસાદ કર્યો. આમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભારતે 1-2 નહીં, પરંતુ 9 સ્થળોએ અનેક મિસાઇલો છોડી છે. જ્યારે ભારતીય સેના પાકિસ્તાનની ધરતી પર આતંકવાદીઓના ઠેકાણાઓ પર આ મિસાઇલો છોડી રહી હતી, ત્યારે ભારતનું રાજદ્વારી અને રાજકીય તંત્ર પણ બીજી કાર્યવાહીમાં વ્યસ્ત હતું. વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નેતૃત્વમાં આ ટીમ પણ પોતાનું કામ કરી રહી હતી.

પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા આ હુમલાઓ બાદ તરત જ, જયશંકર અને અજીત ડોભાલ આંતરરાષ્ટ્રીય સમુદાયને તેની બાબતે માહિતી આપી રહ્યા હતા. આ હુમલા બાદ, બુધવારે વહેલી સવારે 4 મહત્ત્વપૂર્ણ કાર્યો કરવામાં આવ્યા હતા. ભારતે વિશ્વના મહત્ત્વપૂર્ણ દેશોના રાજદ્વારીઓને કહ્યું કે તેની કાર્યવાહી આતંકવાદી ઠેકાણાઓ સુધી મર્યાદિત છે. આ કાર્યવાહી અત્યંત જવાબદારી સાથે કરવામાં આવી હતી. અમે નથી ઇચ્છતા કે આ કાર્યવાહી કોઈ સંઘર્ષનું સ્વરૂપ લે. આ હુમલામાં, ભારતે કોઈપણ નાગરિક, આર્થિક કે પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને નિશાન બનાવ્યા નહોતા. આ દરમિયાન માત્ર આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવ્યા હતા.


ડોભાલે કરી અમેરિકન NSA સાથે વાત કરી

ડોભાલે કરી અમેરિકન NSA સાથે વાત કરી

આ હુમલા બાદ અમેરિકામાં ભારતીય દૂતાવાસે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે હુમલા બાદ તરત જ અમેરિકના NSA અને વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી હતી. તેમણે રૂબિયોને ભારતની કાર્યવાહી અંગે માહિતી આપી અને કહ્યું કે ભારતે આતંકવાદી ઠેકાણાઓ સામે કાર્યવાહી કરી છે. તેમણે પાકિસ્તાન પર હુમલો કર્યો નથી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, હુમલા બાદ તરત જ, ભારતીય રાજદ્વારીઓએ ઇંગ્લેન્ડ, સાઉદી અરેબિયા, UAE અને રશિયાના રાજદુતોને પણ ભારતની કાર્યવાહી અંગે માહિતી આપી હતી.


ડોનાલ્ડ ટ્રમ્પે પણ આપી પ્રતિક્રિયા

ડોનાલ્ડ ટ્રમ્પે પણ આપી પ્રતિક્રિયા

ભારતે આ દેશોના રાજદ્વારીઓને કહ્યું છે કે, પહેલગામ હુમલા બાદ, તેને આશા હતી કે પાકિસ્તાન સરકાર આતંકવાદીઓ સામે કાર્યવાહી કરશે પરંતુ તેણે આમ ન કર્યું. આવી સ્થિતિમાં, ભારતને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ભારતના આ પગલાને ઘણા દેશોએ પણ સમર્થન આપ્યું છે. ઇઝરાયલે ભારતના કાર્યવાહી કરવાના અધિકારને સ્પષ્ટપણે સમર્થન આપ્યું છે. ભારતની કાર્યવાહી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ ઘટના શરમજનક છે. પરંતુ તેને આશા છે કે લડાઈ આગળ નહીં વધે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top