રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર, પૂર્વ RAW ચીફ આલોક જોશી અધ્યક્ષ બનશે
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવની સ્થિતિ છે. આ દરમિયાન, ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કર્યા છે. ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશીને તેના અધ્યક્ષ બનાવ્યા છે. તેમની સાથે બોર્ડમાં કુલ 7 સભ્યો હશે. ત્રણેય સેનાના નિવૃત્ત અધિકારીઓને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.
સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કર્યા છે અને બોર્ડની કમાન ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશીને સોંપી છે. ભૂતપૂર્વ વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ પી.એમ. સિંહા, પૂર્વ દક્ષિણી આર્મી કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ એ.કે. સિંહ અને રીઅર એડમિરલ મોન્ટી ખન્ના લશ્કરી સેવાઓમાંથી નિવૃત્ત અધિકારીઓ છે. તેઓ પણ બોર્ડનો ભાગ હશે. રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહ ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે. 7 સભ્યોના બોર્ડમાં બી. વેંકટેશ વર્મા નિવૃત્ત વિદેશ સેવા અધિકારી છે.
બુધવારે વડાપ્રધાન મોદીએ 4 મોટી બેઠકોમાં ભાગ લીધો હતો. તેમણે CCS, CCPA, CCEA અને કેબિનેટ બેઠકોની અધ્યક્ષતા કરી હતું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીમાં ઘણા કડક નિર્ણયો લીધા છે. આ કારણે પાકિસ્તાન ભયભીત છે. પાકિસ્તાને તાજેતરમાં રશિયા, અમેરિકા અને તુર્કી સાથે વાતચીત કરી હતી. તેણે UNને જણાવ્યું હતું કે, ભારતના આરોપો પાયાવિહોણા છે.
ભારત સાથે તણાવપૂર્ણ પરિસ્થિતિ હોવા છતા, પાકિસ્તાન તેની હરકતો બંધ કરતું નથી. તે LoC પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા બારામુલ્લા સહિત અનેક સ્થળોએ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. બુધવારે પણ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp