દીકરાનો મૃતદેહ તો મળ્યો, પરંતુ પીડિત પરિવારને કોઈ પ્રકારનું વળતર જ નહીં
Air India Plane Crash: 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું ત્યારે 14 વર્ષીય આકાશ પટણી (14)નો ચાની દુકાન પાસે ઊંઘી રહ્યો હતો. આ પ્લેન ક્રેશમાં આ 14 વર્ષીય માસૂમનું પણ મોત થઈ ગયું. મૃતદેહ તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. આકાશના પિતા સુરેશ પટણીએ જણાવ્યું હતું કે તેમને સોમવારે મોડી રાત્રે મૃતદેહ લેવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ રાત્રે તેનો અગ્નિસંસ્કાર કરી ન શક્યા, એટલે તેઓ મંગળવારે વહેલી સવારે તેને લઈ ગયા.
શબગૃહ દ્વારા પટણી પરિવારને સોંપવામાં આવેલા મૃતદેહને ગુલાબના ફૂલથી ઢાંકવામાં આવ્યો હતો જ્યારે મંગળવારે સવારે મૃતદેહને લઈ જનારી શબયાત્રા દરમિયાન ચામુંડા સ્મશાનના પ્રવેશદ્વાર પર એક ઝાડ પર આકાશના હસતા ચહેરા સાથેનું પોસ્ટર લટકાવી દેવામાં આવ્યું હતું.
સુરેશ પટણીએ જણાવ્યું હતું કે તેની પત્ની સીતાબેન પટણી, જે અડધી દાઝી ગઈ હતી, તે હવે સ્વસ્થ થઈ રહી છે અને તેની સર્જરી કરાવવાની છે પરંતુ ડૉક્ટરોએ તેમને આશ્વાસન આપ્યું છે કે તેઓ સ્વસ્થ થઈ રહી છે. જોકે, તેમણે સિવિલ હૉસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે તે અંગે કોઈ સમયમર્યાદા બતાવી નથી.
સીતાબેન અકસ્માતવાળી જગ્યા પાસે ચાની દુકાન ચલાવતા હતા અને 12 જૂને મેડિકલ કોલેજ કેમ્પસમાં વિમાન ક્રેશ થયું ત્યારે આકાશ તેને બપોરનું ભોજન આપવા આવ્યો હતો. સીતાબેન તો દાઝી બાદ પણ ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યા, પરંતુ આકાશ તેને બપોરનું ભોજન આપીને સૂઈ ગયા અને ફરી ક્યારેય ઉઠ્યો જ નહીં.
ચાની દુકાન પરિવાર માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હતો, જ્યારે સુરેશ પટણી થોડી કમાણી માટે ઓટોરિક્ષા ચલાવે છે. જોકે, આટલા દિવસો બાદ પણ, તેમને અધિકારીઓ તરફથી કોઈ વળતર બાબતે કોઈ સમાચાર મળ્યા નથી.
સુરેશ પટણીનું કહેવું છે કે કોઈએ તેની સાથે કોઈપણ પ્રકારના વળતર બાબતે સંપર્ક કર્યો નથી. જો વિમાનમાં મુસાફરોને વળતર મળે છે, તો તેમના જેવા લોકોને પણ વળતર મળવું જોઇયે, જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. તેમને આશા છે કે કોઈક ને કોઈક આ બાબતે તેમનો સંપર્ક કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp