IND Vs ENG: સિરીઝ પહેલા ટ્રોફીના નામમાં શેનો વિવાદ! શું લેવાયો લેવામાં આવ્યો નિર્ણય?
20 જૂનથી શરૂ થનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બહુપ્રતિક્ષિત 5 મેચની ટેસ્ટ સિરીઝને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ભારત અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસની પ્રતિદ્વંદ્વિતામાં પટૌડી તેમજ 'તેંડુલકર-એન્ડરસન' ના નામને લઈને વિવાદ થઇ ગયો હતો.
હાલમાં જ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ ટ્રોફીનું નામ બદલીને તેંડુલકર-એન્ડરસન ટ્રોફી રાખવાની ઓફિશિયલ જાહેરાત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ફાઈનલ દરમિયાન લોર્ડ્સમાં કરવાની હતી. પરંતુ અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના પ્લેન ક્રેસ દુર્ઘટનાને કારણે આ કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના આ નિર્ણય પર પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર સહિત ઘણા દિગ્ગજોએ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ ક્રિકેટના ભગવાન તરીકે પૂજાતા સચિન તેંડુલકરે પણ ECBનો સીધો જ સંપર્ક કરી અને વિનંતી કરી કે પટૌડી પરિવારનું નામ ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટના ઈતિહાસનું ભાગ તરીકે જોડાયેલું રહેવું જોઈએ. આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં ICCના ચેરમેને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અંતે IIC ચેરમેન અને સચિન તેંડુલકરની પહેલ બાદ ECBની સહમતિથી નક્કી કરવામાં આવ્યું કે ભલે ટ્રોફીનું નામ 'તેંડુલકર-એન્ડરસન ટ્રોફી' રાખવામાં આવે, પરંતુ વિજેતા ટીમના કેપ્ટનને 'પટૌડી મેડલ' આપવામાં આવશે.
તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, જ્યારે જેમ્સ એન્ડરસન ટેસ્ટ ઈતિહાસમાં સૌથી સફળ બોલર છે. IIC ચેરમેન અને સચિન તેંડુલકરની પહેલ બાદ ECBની સહમતિથી નક્કી કરવામાં આવેલ ટ્રોફીનું નામ 'તેંડુલકર-એન્ડરસન ટ્રોફી' રાખવામાં આવશે આ સાથેજ વિજેતા ટીમના કેપ્ટનને 'પટૌડી મેડલ' આપવામાં આવશે. આ નવી ઓફિશિયલ જાહેરાત 19 જૂને લીડ્સમાં સિરીઝની પહેલી ટેસ્ટના એક દિવસ પહેલા કરવામાં આવશે. આ નિર્ણય બાદ ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસમાં પટૌડી પરિવારનું નામ સદાકાળ જોડાયેલું રહેશે. આ સિરીઝમાં વિજેતા કેપ્ટનને 'પટૌડી મેડલ'થી સન્માનિત કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp