Pakistans Jaffar Express:વિસ્ફોટ બાદ પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ ખડી પડી, બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે દાવો કર્યો કે તેણે જાફર એક્સપ્રેસને રિમોટ-કંટ્રોલ્ડ IED વડે..
Pakistans Jaffar Express derails: પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ એક જોરદાર વિસ્ફોટ બાદ ટ્રેક પરથી ઉતરી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે જેકોબાબાદમાં ટ્રેક પર જોરદાર વિસ્ફોટ થયા બાદ તેના 4 ડબ્બા ડિરેલ થઈ ગયા હતા. આ ટ્રેન પેશાવરથી કોટા જઈ રહી હતી. પરંતુ જોરદાર વિસ્ફોટ બાદ મંગળવારે જેકોબાબાદ નજીક જાફર એક્સપ્રેસના 4 કોચ ટ્રેક પરથી ઉતરી ગયા. રેલવે અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.
આ અકસ્માતમાં કોઈ મુસાફરના મોત કે ગંભીર ઈજાના અહેવાલ નથી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવી રહ્યા છે. વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક સૂત્રોએ આશંકા વ્યક્ત કરી છે કે આ કોઈ કાવતરું અથવા તોડફોડ હોઈ શકે છે, જોકે હજુ અત્યાર સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
ઘટના બાદ, રેલવે ટ્રેકનું સમારકામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે અને અન્ય ટ્રેનોની અવરજવર અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ સ્થળ પર હાજર છે અને તપાસ ચાલી રહી છે. રેલવે પ્રશાસને મુસાફરોને ધીરજ રાખવા અને સત્તાવાર માહિતીનું પાલન કરવાની અપીલ કરી છે.
🇵🇰 𝐑𝐄𝐏𝐎𝐑𝐓: Baloch Republican Guards claims it targeted a Quetta-Punjab-bound Jaffar Express with a remote-controlled IED in Jacobabad derailing six coaches of the train. pic.twitter.com/kbHGu6XZki — Conflict Monitor (@ConflictMoniter) June 18, 2025
🇵🇰 𝐑𝐄𝐏𝐎𝐑𝐓: Baloch Republican Guards claims it targeted a Quetta-Punjab-bound Jaffar Express with a remote-controlled IED in Jacobabad derailing six coaches of the train. pic.twitter.com/kbHGu6XZki
જાફર એક્સપ્રેસ પાકિસ્તાનમાં પેશાવર અને ક્વેટા વચ્ચે દોડે છે. ફેબ્રુઆરી મહિનામાં તેને બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા હાઈજેક કરી લેવામાં આવી હતી. આ ઘટનાને પાકિસ્તાનના રેલ ઇતિહાસમાં ગંભીર સુરક્ષા ચૂંક અને આંતરિક સંઘર્ષોનું પ્રતિક માનવામાં આવે છે. આ ઘટના દરમિયાન, BLAના સશસ્ત્ર લડવૈયાઓએ એક નિર્જન વિસ્તારમાં ટ્રેનને રોકી હતી અને 400થી વધુ મુસાફરોને બંધક બનાવ્યા હતા. તેમનો હેતુ કથિત માનવાધિકાર ઉલ્લંઘન અને બલુચિસ્તાનમાં સૈન્યની હાજરી સામે પોતાનો વિરોધ નોંધાવવાનો હતો. જોકે, બાદમાં પાકિસ્તાની સુરક્ષા દળો અને BLA વચ્ચે લોહિયાળ જંગ થઈ. બંને પક્ષોને નુકસાન થયું. ત્યારબાદ, BLAએ સ્વેચ્છાએ મુસાફરોને છોડી દીધા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp