અવકાશમાંથી સુનિતા અને બૂચની પ્રેસ કોન્ફરન્સ, જાણો ધરતી પર પરત ફરવામાં વિલંબ થવા પર શું કહ્યું?

અવકાશમાંથી સુનિતા અને બૂચની પ્રેસ કોન્ફરન્સ, જાણો ધરતી પર પરત ફરવામાં વિલંબ થવા પર શું કહ્યું?

09/14/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

અવકાશમાંથી સુનિતા અને બૂચની પ્રેસ કોન્ફરન્સ, જાણો ધરતી પર પરત ફરવામાં વિલંબ થવા પર શું કહ્યું?

સુનિતા વિલિયમ્સને અવકાશમાં ફસાયાના ઘણા મહિનાઓ થઇ ગયા છે અને હવે તેઓ આવતા વર્ષે પૃથ્વી પર પરત ફરશે. દરમિયાન, તેમણે પોતાના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે પહેલી વખત પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે ઘણા સવાલોના જવાબ આપ્યા અને પોતાના દિલની વાત પણ કરી હતી.


અવકાશમાં રહેવું પસંદ

અવકાશમાં રહેવું પસંદ

સુનીતાએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, હું અહીં ફસાઇ અને ભ્રમણકક્ષામાં ઘણા મહિનાઓ વિતાવવા મુશ્કેલ તો હતા, પરંતુ મને અવકાશમાં રહેવું ગમે છે. હું મારી માતા સાથે કિંમતી સમય પસાર કરવા માંગતી હતી, પરંતુ એક જ મિશન પર 2 અલગ-અલગ યાનમાં રહીને સારું લાગે છે. અમે ટેસ્ટર છીએ અને આ અમારું કામ છે. સુનિતા વિલિયમ્સે વધુમાં કહ્યું કે અમે સ્ટારલાઇનરને પૂર્ણ કરવા ઇચ્છતા હતા, પરંતુ તમારે પેજ બદલવા જ પડશે અને આગળના અવસર શોધવા પડશે. તેમને અપેક્ષા નહોતી કે, એક વર્ષ સુધી અવકાશમાં રહેશે, પરંતુ તેમને ખબર હતી કે તેમને પરત ફરવામાં વિલંબ થઇ શકે છે. તેણે કહ્યું કે આ વ્યવસાયમાં એવું થતું રહે છે.


શું બોલ્યા સાથી અવકાશયાત્રી વિલ્મોર?

શું બોલ્યા સાથી અવકાશયાત્રી વિલ્મોર?

સુનિતાના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોરે જણાવ્યું હતું કે તેમને દુઃખ છે કે તેઓ પોતાની નાની પુત્રીના હાઇસ્કૂલના અંતિમ વર્ષ માટે ત્યાં હાજર નહીં હોય. આ સાથે તેણે એ લોકોનો આભાર માન્યો, જેમણે શુભકામનાએ મોકલી હતી. તમને જણાવી દઇએ કે બંને હવે નાસાના સ્પેસ સ્ટેશન પર મેઇન્ટેનન્સ અને નવા પ્રયોગો પર કામ કરી રહ્યા છે. બંને અવકાશયાત્રીઓએ તેની સાથે જ નાગરિક ફરજો પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે તેઓ આ નવેમ્બરમાં યોજાનારી અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન કરવા માગે છે. તેમણે અનુપસ્થિત મતપત્રનો પણ અનુરોધ કર્યો, જેથી તેઓ ભ્રમણકક્ષામાંથી મતદાન કરી શકે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top