PM મોદીના કેનેડા પ્રવાસ પર મોટી સફળતા! આ મોટું કામ કરશે બંને દેશ, ખાલિસ્તાન સમર્થકોને મોઢે તમાચો
PM Modi At G7 Summit Canada: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારત અને કેનેડા એક-બીજાના દેશો માટે હાઇ કમિશનરોની નિમણૂક કરશે. બંને વડાપ્રધાનોએ દેશોના નાગરિકો અને વ્યવસાયો માટે નિયમિત સેવાઓ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી બંને વડાપ્રધાનો નવા હાઇ કમિશનરોની નિમણૂક કરવા સહમત થયા હતા. બંને દેશો વચ્ચે ટ્રેક પરથી ઉતારી ચૂકેલા સંબંધોને સુધારવા માટે આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રકારે ભારત-કેનેડા સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથેની તેમની મુલાકાતમાં, બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને સુધારવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં ઉઠાવવાની વાત થઈ. આ મુલાકાતમાં, બંને નેતાઓએ પરસ્પર સન્માન, કાયદાના શાસન અને સાર્વભૌમત્વના સિદ્ધાંતો પર આધારિત સંબંધોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
સૌથી મોટી જાહેરાત બંને દેશોમાં નવા હાઇ કમિશનરોની નિમણૂક પર સહમતી રહી. તાજેતરના વર્ષોમાં, ખાલિસ્તાન મુદ્દા અને અન્ય વિવાદોને કારણે બંને દેશોએ પોતપોતાના હાઇ કમિશનરોને પાછા બોલાવ્યા હતા. હવે આ નિર્ણય નાગરિકો અને વ્યવસાયો માટે નિયમિત સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો માર્ગ ખોલશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ બેઠકને સકારાત્મક અને રચનાત્મક ગણાવી છે. આમાં સંબંધોમાં સ્થિરતા લાવવા માટે નક્કર પગલાં લેવા પર સહમતિ સધાઈ હતી.
મોદી અને કાર્નીએ જલદી જ વ્યાપાર વાતચીત શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2023-24માં ભારત-કેનેડા દ્વિપક્ષીય વેપાર લગભગ 9 અબજ ડોલરનો હતો અને વિશેષજ્ઞનું માનવું છે કે તેને બેગણો કે ત્રણ ગણો કરવાની સંભાવના છે. આ પગલું બંને દેશોના આર્થિક સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
મોદી અને કાર્નિએ નજીકના ભવિષ્યમાં ફરી મળવાની યોજના બનાવી છે, જેથી આ પ્રગતિને વધુ તેજ કરી શકાય. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યાત્રા ભારતની વૈશ્વિક કૂટનીતિને મજબૂત કરવા અને વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકાને વધુ સક્રિય બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
પોતાની કેનેડા મુલાકાતનું સમાપન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, G-7 સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ. તેમણે કેનેડાના લોકો અને સરકારનો સફળતાપૂર્વક આયોજન કરવા બદલ આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ મુલાકાતે ન માત્ર ભારત-કેનેડા સંબંધોમાં હૂંફ લાવી છે, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી વિશ્વસનીયતા પર પણ ભાર મૂક્યો. બંને દેશો હવે એક નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યા છે જે પરસ્પર સહયોગ અને વિશ્વાસ પર આધારિત હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp