રોહિત શર્મા બન્યો 'જબરા ફેન' ! પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ખેલાડીના વખાણ કરતા થાક્યો નહિ રોહિત, કહ્યું -'ટીમ ઈન્ડિયા માટે મોટું હથિયાર સાબિત થશે....'
સ્પોર્ટ્સ ડેસ્ક : T20 વર્લ્ડ કપ 2022 પહેલા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી રમવાની છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી20 સીરીઝ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે.આ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં એક ખેલાડીના વખાણ કર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા આ ખેલાડીનો ફેન બની ગયો છે અને આ ખેલાડી ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે મોટું હથિયાર સાબિત થઈ શકે છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમની તૈયારીઓ અને ખેલાડીઓના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના વખાણ કરતો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે અર્શદીપ સિંહ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝનો ભાગ નથી. યુવા ફાસ્ટ બોલરને ટી20 વર્લ્ડ કપ પહેલા આરામ આપવામાં આવ્યો છે.
રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં અર્શદીપ સિંહ માટે કહ્યું, અર્શદીપે જે રીતે બોલિંગ કરી છે તે ખૂબ જ પ્રભાવશાળી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તેના પ્રથમ વર્ષમાં દબાણમાં જે રીતે યોર્કર બોલિંગ કર્યું તે કોઈ સરળ સિદ્ધિ ન હતી. તે સારો બોલર છે અને દરેક વસ્તુને સરળ રાખે છે. અમને ટીમમાં ડાબા હાથના ફાસ્ટ બોલરની જરૂર હતી. અમને અમારી બોલિંગ એક્ટમાં વૈવિધ્ય જોઈતું હતું અને અર્શદીપના આવવાથી આ ખાલીપો ભરાઈ ગયો છે.
અર્શદીપ સિંહે તેની ટૂંકી કારકિર્દીમાં ઘણી પ્રશંસા મેળવી છે. અર્શદીપે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે ધમાકેદાર પ્રદર્શન કરીને એશિયા કપની ટીમમાં સ્થાન મેળવ્યું હતું. જે બાદ આ યુવા ખેલાડી ટી20 વર્લ્ડ કપની ટીમમાં પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. 23 વર્ષીય અર્શદીપ ટીમ માટે અત્યાર સુધીમાં 11 T20 મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં તેણે માત્ર 7.39ની ઈકોનોમી સાથે 14 વિકેટ લીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp