Jagannath Rath Yatra 2025: જગન્નાથ રથ યાત્રામાં કેમ સોનાના ઝાડુથી સફાઈ થાય છે? જાણો તેનું મહત્ત

Jagannath Rath Yatra 2025: જગન્નાથ રથ યાત્રામાં કેમ સોનાના ઝાડુથી સફાઈ થાય છે? જાણો તેનું મહત્ત્વ

06/27/2025 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

Jagannath Rath Yatra 2025: જગન્નાથ રથ યાત્રામાં કેમ સોનાના ઝાડુથી સફાઈ થાય છે? જાણો તેનું મહત્ત

Jagannath Rath Yatra 2025: હિન્દુ ધર્મમાં જગન્નાથ રથયાત્રાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. દર વર્ષે, આ ભવ્ય રથયાત્રા ઓડિશાના પુરીમાં અને ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ અષાઢી બીજના દિવસે કાઢવામાં આવે છે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા આજે શરૂ થઈ છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા રથ પર સવાર થઈને શહેરના ભ્રમણ પર નીકળે  છે. આ પાવન અવસર પર લાખો ભક્તો પુરી આવે છે અને રથ ખેંચવાનો લહાવો મેળવે છે. એવું માનવામાં આવે છે કે આ યાત્રામાં ભાગ લેવાથી અને રથ ખેંચવાથી જીવનના બધા પાપોનો નષ્ટ થઇ જાય છે.

આ યાત્રા સાથે જોડાયેલા ઘણા અનોખા રીત-રિવાજો સદીઓથી ચાલતા આવી રહ્યા છે, જેમાંથી સોનાના ઝાડુથી રસ્તાની સફાઈ એક સૌથી ખાસ રિવાજ છે. આ રિવાજને ‘છેરા પહરા' કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોનો રથ જે રસ્તાઓ પરથી પસાર થાય છે તે રસ્તાઓને સોનાના ઝાડુથી સાફ કરવામાં આવે છે. આમ કરીને ભક્તો ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા પ્રત્યે આભાર અને ભક્તિ વ્યક્ત કરે છે.


સોનાના ઝાડુથી સફાઈ કેમ કરવામાં આવે છે?

સોનાના ઝાડુથી સફાઈ કેમ કરવામાં આવે છે?

પૌરાણિક માન્યતાઓ અનુસાર, સોનું એક પવિત્ર ધાતુ છે, જેને દેવી-દેવતાઓની પૂજામાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. યાત્રા શરૂ કરવા અગાઉ ત્રણેય રથોના માર્ગને સોનાના ઝાડુથી સાફ કરવામાં આવે છે અને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ ન માત્ર આધ્યાત્મિક પવિત્રતાનું પ્રતિક છે, પરંતુ તે એક ભાવના પણ દર્શાવે છે કે ભગવાનના સ્વાગતમાં કોઈ કસર છોડવી ન જોઈએ. આ પરંપરા સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારે છે. આ ઝાડુ માત્ર રાજાઓના વંશજોના હાથે જ લગાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સોનાના ઝાડુથી રસ્તો સાફ કરવાનો હેતુ ભગવાનના માર્ગને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો થાય છે.


રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે?

રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે?

પૌરાણિક કથા અનુસાર, એક વખત દેવી સુભદ્રાએ પુરી નગર જોવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે ભગવાન જગન્નાથ અને બલભદ્ર તેમને રથ પર બેસાડીને નગર ભ્રમણ માટે નીકળ્યા અને રસ્તામાં પોતાની માસી ગુંડિચાના મંદિરમાં થોડા દિવસ માટે રોકાયા. ત્યારથી આ ઘટનાની યાદમાં દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. ત્રણેય રથ ગુંડીચા મંદિર સુધી જાય છે અને ત્યાં 7 દિવસ આરામ કરે છે. દર વર્ષે આયોજિત થતી આ રથયાત્રામાં ભાગ લેવા માટે દૂર-દૂરથી શ્રધાળું આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top