પત્રકારે પૂછ્યું-‘કાલે અફઘાનિસ્તાન હારી જાય તો શું?’, જાડેજાએ કહ્યું: તો બેગ પેક કરીને ઘરે જઈશું
સ્પોર્ટ્સ ડેસ્ક: હાલ ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન પહેલી બે મેચમાં સારું રહ્યું ન હતું, પરંતુ ત્યારપછીની બંને મેચ ભારતે જીતી લેતા સેમી-ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત બની છે. જોકે, ભારત સેમી-ફાઈનલમાં પહોંચશે કે નહીં તેનો આધાર અન્ય ટીમો અને તેમની મેચ ઉપર પણ રહેશે.
આવતીકાલે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ પોતાની આખરી મેચ રમશે. જો આ મેચમાં અફઘાનિસ્તાન અપસેટ સર્જવામાં સફળ રહે અને ન્યુઝીલેન્ડને હરાવે તો ભારતનો સેમી-ફાઈનલ સુધીનો રસ્તો મોકળો બનશે. પરંતુ ન્યુઝીલેન્ડની જીત થાય તો ભારત માટે સેમી-ફાઈનલમાં પહોંચવું અશક્ય બની જશે.
આ જ અંગે ગઈકાલે ભારતીય ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું હતું. જેનો તેમણે રમૂજી જવાબ આપ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ થઇ રહ્યું છે.
.@imjadeja timing at its best 😂🤣pic.twitter.com/yw1ftYSthM — CricTracker (@Cricketracker) November 5, 2021
.@imjadeja timing at its best 😂🤣pic.twitter.com/yw1ftYSthM
પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે જાડેજાને પૂછ્યું કે, કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાન જો ન્યુઝીલેન્ડને હરાવે તો જ ભારતને સેમી-ફાઈનલમાં પહોંચવાની તક મળશે. પણ જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને ન હરાવી શકે તો?’ જેના જવાબમાં રવિન્દ્ર જાડેજાએ હળવા મૂડમાં કહ્યું હતું કે, ‘તો પછી બેગ પેક કરીને ઘરે જઈશું, બીજું શું?’
પોઈન્ટ ટેબલમાં હાલ ભારતનું સ્થાન ત્રીજું છે. ભારતે કુલ 4 માંથી 2 મેચ જીતી છે. જ્યારે પહેલા ક્રમે 4 જીત સાથે પાકિસ્તાન અને બીજા ક્રમે ન્યુઝીલેન્ડ છે. ન્યુઝીલેન્ડની ટીમે ચારમાંથી ત્રણ મેચ જીતી છે. જ્યારે પાંચમી મેચ અફઘાનિસ્તાન સામે કાલે રમશે. જ્યારે અફઘાનિસ્તાને ચારમાંથી 2 મેચ જીતી છે.
જો આવતીકાલે અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને હરાવે અને ભારત નામિબિયા સામેની પોતાની પાંચમી મેચ જીતવામાં સફળ રહે તો ભારત પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવી શકે છે. જોકે, આ માટે રનરેટ ઉપર પણ આધાર રહેશે. નોંધવું મહત્વનું છે કે બંને ગ્રૂપમાંથી પહેલી બે ટીમો સેમી-ફાઈનલ માટે ક્વોલિફાય થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp