બિહારમાં NDAની જીતે આપ્યો નવો ‘MY’ ફોર્મ્યુલા, PM મોદીના ભાષણની 10 મોટી વાતો

બિહારમાં NDAની જીતે આપ્યો નવો ‘MY’ ફોર્મ્યુલા, PM મોદીના ભાષણની 10 મોટી વાતો

11/15/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

બિહારમાં NDAની જીતે આપ્યો નવો ‘MY’ ફોર્મ્યુલા, PM મોદીના ભાષણની 10 મોટી વાતો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપ મુખ્યાલયથી NDA કાર્યકરો અને બિહારના લોકોને સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ પ્રચંડ વિજય, આ અટલ વિશ્વાસ, બિહારના લોકોની ગર્જનાએ બહડુ ઉડાવી દીધું. અમે, NDAના લોકો જનતાના સેવક છીએ.


PM મોદીના ભાષણની 10 મોટી વાતો

PM મોદીના ભાષણની 10 મોટી વાતો
  1. બિહારમાં કેટલીક પાર્ટીઓએ તુષ્ટિકરણલક્ષી ‘MY ફોર્મ્યુલા’ બનાવ્યો હતો. પરંતુ આજની જીતે આપણને એક નવું સકારાત્મક MY ફોર્મ્યુલા આપ્યો છે- ‘મહિલાઓ અને યુવાનો. આજે બિહાર, દેશના એવા રાજ્યોમાંનું એક છે જ્યાં સૌથી વધુ યુવા વસ્તી છે, જે દરેક ધર્મ અને જાતિના યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ઇચ્છાશક્તિ, આકાંક્ષાઓ અને સપનાઓએ જંગલ રાજના જૂના, સાંપ્રદાયિક MY ફોર્મ્યુલાને તોડી નાખ્યો છે. હું ખાસ કરીને આજે બિહારના યુવાનોને અભિનંદન આપું છું.
  2. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ફક્ત NDAનો વિજય નથી, પરંતુ ભારતની લોકશાહીમાં માનનારાઓનો વિજય છે. આ ચૂંટણીએ ચૂંટણી પંચમાં જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મતદાનમાં વધારો ચૂંટણી પંચ માટે એક મોટી સિદ્ધિ છે. પહેલાં, બિહારમાં ફરીથી મતદાન કર્યા વિના કોઈ ચૂંટણી નહોતી થતી. ઉદાહરણ તરીકે 2005 અગાઉ, સેંકડો સ્થળોએ ફરીથી મતદાન કરવામાં આવતું હતું અને 1995માં, 1,500થી વધુ મતદાન મથકો પર ફરીથી મતદાન કરવામાં આવ્યું હતું. જોકે, જંગલ રાજનો અંત આવતા પરિસ્થિતિમાં સુધારો થવા લાગ્યો અને આ વખતે, ચૂંટણીના બંને તબક્કામાં ફરીથી મતદાનની જરૂર ન પડી. આ વખતે મતદાન શાંતિપૂર્ણ રહ્યું.
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એ જ બિહાર છે જ્યાં માઓવાદી આતંક પ્રવર્તતો હતો, જ્યાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3:00 વાગ્યે મતદાન સમાપ્ત થઇ જતું હતું, પરંતુ આ વખતે, લોકોએ કોઈ પણ ભય વિના સંપૂર્ણ જોશ અને ઉત્સાહ સાથે મતદાન કર્યું. તમે જાણો છો કે જંગલ રાજ દરમિયાન બિહારમાં શું થતું હતું. મતપેટીઓ ખુલ્લેઆમ લૂંટાઈ ગઈ હતી. આજે એ જ બિહારમાં રેકોર્ડ મતદાન નોંધાઈ રહ્યું છે.
  4. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બિહારની ચૂંટણી દરમિયાન જ્યારે મેં જંગલ રાજ અને કટ્ટા સરકાર (સરકારનું શાસન) વિશે વાત કરતો હતો ત્યારે RJDના લોકો વિરોધ કરતાં નહોતા, પરંતુ તે કોંગ્રેસ માટે ખૂબ જ પીડાદાયક હતું. પણ આજે હું ફરી કહું છું કે 'કટ્ટા સરકાર હવે પાછી નહીં આવે. બિહાર એ ભૂમિ છે જેણે ભારતને લોકશાહીની જનની બનવાનું ગૌરવ આપ્યું છે. બિહારે ફરી એકવાર બતાવ્યું છે કે જૂઠાણું હારે છે, જનતાનો વિશ્વાસ જીતે છે. બિહારે બતાવ્યું છે કે લોકો જામીન પર રહેલા લોકોને સમર્થન નહીં આપે.
  5. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બિહારના લોકોએ વિકસિત બિહાર માટે મતદાન કર્યું છે. તેમણે સમૃદ્ધ બિહાર માટે મતદાન કર્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન, મેં બિહારના લોકોને રેકોર્ડ મતદાન માટે બહાર નીકળવા વિનંતી કરી અને બિહારના લોકોએ બધા રેકોર્ડ તોડી નાખ્યા. મેં બિહારના લોકોને NDAને જંગી વિજય અપાવવા વિનંતી કરી અને બિહારના લોકોએ મારી વિનંતી પર ધ્યાન આપ્યું. બિહારે 2010 બાદ NDAને તેનો સૌથી મોટો જનાદેશ આપ્યો છે. હું NDAના તમામ પક્ષો વતી બિહારના મહાન લોકોનો નમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
  6. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર છઠને UNESCO હેરિટેજ સૂચિમાં સામેલ કરવા માટે પ્રયાસ કરી રહી છે. ધ્યેય સમગ્ર દેશ અને વિશ્વને તેના મહત્ત્વ અને સંસ્કૃતિ સાથે જોડવાનો છે.
  7. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજના પરિણામો બિહારના તે વિકાસ વિરોધી લોકોને પણ જવાબ છે જેઓ કહેતા હતા કે બિહારને એક્સપ્રેસવે, હાઇવે કે ઉદ્યોગની જરૂર નથી. આજના પરિણામો વંશવાદની રાજનીતિ સામે વિકાસ માટેનો જનાદેશ છે.
  8. કોંગ્રેસ પાસે દેશ માટે કોઈ સકારાત્મક વિઝન નથી. સત્ય એ છે કે આજે કોંગ્રેસ ‘મુસ્લિમ-લીગ માઓવાદી કોંગ્રેસ; અથવા MMC બની ગઈ છે. કોંગ્રેસનો આખો એજન્ડા આની આસપાસ ફરે છે. તેથી, કોંગ્રેસ પાર્ટીમાં એક નવો જૂથ ઉભરી રહ્યો છે, જે આ નકારાત્મક રાજકારણથી અસ્વસ્થ છે. કોંગ્રેસના નેતાઓ જે માર્ગે ચાલી રહ્યા છે તેના પર પાર્ટીમાં ઊંડી નિરાશા અને રોષ ફેલાઈ રહ્યો છે. મને આશંકા છે કે કોંગ્રેસ પાર્ટીમાં બીજો મોટો ભાગલા પડી શકે છે.
  9. બિહારના લોકોએ ભારતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, પરંતુ દાયકાઓ સુધી દેશ પર શાસન કરનારાઓએ બિહારને બદનામ કર્યું છે. આ લોકોએ બિહારના ભવ્ય ભૂતકાળ કે તેની પરંપરાઓ અને સંસ્કૃતિનો આદર કર્યો નથી. કલ્પના કરો કે જે લોકો છઠ પૂજાને નાટક કહી શકે છે તેઓ બિહારની પરંપરાઓ માટે કેટલો આદર ધરાવતા હશે. તેમની હેકડી જુઓ, RJD અને કોંગ્રેસે આજ સુધી છઠી મૈયાની માફી માગી નથી. અને બિહારના લોકો આ ક્યારેય ભૂલશે નહીં.
  10. કોંગ્રેસ એક એવો પરોપજીવી પક્ષ છે, તે પોતાના સાથી પક્ષોના વોટબેંકને ગળીને વાપસી કરવા માગે છે. તેથી, તેના સાથી પક્ષોએ પણ કોંગ્રેસથી સાવધ રહેવાની જરૂર છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top