Nimisha Priya: ફાંસી મુલતવી રખાઇ, પરંતુ સૌથી મોટો સવાલ- ‘યમનની જેલમાં બંધ નિમિષા પ્રિયાનું હવે

Nimisha Priya: ફાંસી મુલતવી રખાઇ, પરંતુ સૌથી મોટો સવાલ- ‘યમનની જેલમાં બંધ નિમિષા પ્રિયાનું હવે શું થશે?

07/16/2025 World

SidhiKhabar

SidhiKhabar

Nimisha Priya: ફાંસી મુલતવી રખાઇ, પરંતુ સૌથી મોટો સવાલ- ‘યમનની જેલમાં બંધ નિમિષા પ્રિયાનું હવે

Nimisha Priya Case: પોતાના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહદીની હત્યાના આરોપસર સના જેલમાં બંધ ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી રાખવામાં આવી છે. મંગળવારે યમનની શરિયા કોર્ટે નિમિષાને ફાંસીની સજા ફટકારી હતી, પરંતુ વાતચીતને કારણે સ્થાનિક જેલ કોર્ટે તેને હાલ પૂરતી મુલતવી રાખી છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આગળ નિમિષા પ્રિયાનું શું થશે? શું નિમિષાની મોતની સજા અકબંધ રહેશે કે તેને મુક્ત કરવામાં આવશે? નિમિષા પ્રિયા વર્ષ 2017થી જ સના જેલમાં બંધ છે. કેરળની પલ્લકડની રહેવાસી નિમિષા નર્સની નોકરી કરવા વર્ષ 2008માં યમન ગઈ હતી.


નિમિષા પ્રિયાનું શું થશે? સમજો 5 પોઇન્ટમાં

નિમિષા પ્રિયાનું શું થશે? સમજો 5 પોઇન્ટમાં
  1. તલાલ હત્યા કેસમાં નિમિષા પ્રિયાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સજા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. નિમિષાને નિર્દોષ જાહેર કરવામાં આવી નથી. શરિયા કાયદા હેઠળ, બ્લડ મનીની રકમ લીધા બાદ કોઈ પીડિત ગુનેગારને માફ કરી શકે છે. નિમિષાનો પરિવાર બ્લડ મની દ્વારા કેસ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો છે.
  2. તલાલના પરિવારે બ્લડ મની અંગેની શરૂઆતની ઓફરને નકારી કાઢી છે. આ ઓફર મુજબ, નિમિષાના પરિવારે તલાલના પરિવારને 8.5 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જોકે, હવે નવેસરથી વાતચીત થઈ રહી છે. ગ્રાન્ડ મુફ્તી અબુબકર વાતચીતનું નેતૃત્વ કરી રહ્યા છે.
  3. જે જાણકારી સામે આવી છે તે મુજબ, અબુબકર અહમદે 2 પ્રસ્તાવ આપ્યા છે. પહેલો બ્લડ મની લઈને ફાંસીની સજાને ઓછી કરી દેવામાં આવે અથવા તેને પૂરી રીતે માફ કરી દેવામાં આવે. આ નિર્ણય તલાલના પરિવારે લેવાનો છે.
  4. બ્લડ મની પર ચાલી રહેલી વાતને કારણે જ, નિમિષા પ્રિયાની ફાંસી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. હવે જોવાનું એ છે કે તલાલનો પરિવાર શું નિર્ણય લે છે. જો તલાલનો પરિવાર નિમિષાને માફ કરે છે, તો નિમિષા જેલમાંથી બહાર આવી શકે છે.
  5. જો તલાલનો પરિવાર ફાંસીની સજા ઘટાડવાનો નિર્ણય લે છે, તો નિમિષાએ હાલ પૂરતું જેલમાં રહેવું પડી શકે છે. ભારતથી ગયેલા પ્રતિનિધિઓ કોઈક રીતે નિમિષાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નિમિષા તણાવમાં છે, લોકોનો આભાર: નિમિષાની માતા

નિમિષા તણાવમાં છે, લોકોનો આભાર: નિમિષાની માતા

નિમિષાની માતાએ CNN સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે હું થોડા દિવસો અગાઉ નિમિષાને મળી હતી, ત્યારે તે તણાવમાં હતી. અમે તેને ભરોસો આપ્યો કે કંઈક સારું થશે. નિમિષાની માતાના જણાવ્યા મુજબ, લોકોએ અમને જે રીતે સમર્થન આપ્યું છે તેના માટે અમે તેમના આભારી છીએ. CNNના અહેવાલમાં જણાવાયું છે કે યમનનૂ સના હાલમાં વિશ્વના મોટાભાગના ભાગોથી કપાયેલું છે. તેનું કમ્યુનિકેશન ખૂબ જ નબળું છે. તેમ છતા ભારતીય અધિકારીઓ નિમિષાને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top