2026 Nobel Peace Prize: ‘ટ્રમ્પ નોબલ શાંતિ પુરસ્કારના અસલી હકદાર..’, પાકિસ્તાને ખૂલીને કર્યું અ

2026 Nobel Peace Prize: ‘ટ્રમ્પ નોબલ શાંતિ પુરસ્કારના અસલી હકદાર..’, પાકિસ્તાને ખૂલીને કર્યું અમેરિકન રાષ્ટ્રપતિનું સમર્થન

06/21/2025 World

SidhiKhabar

SidhiKhabar

2026 Nobel Peace Prize: ‘ટ્રમ્પ નોબલ શાંતિ પુરસ્કારના અસલી હકદાર..’, પાકિસ્તાને ખૂલીને કર્યું અ

Pakistan nominates Trump for 2026 Nobel Peace Prize: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે તેમણે વિશ્વભરમાં ઘણા મોરચે યુદ્ધો રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ દરમિયાન, પાકિસ્તાન સરકારે ઔપચારિક રીતે 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ પ્રસ્તાવિત કર્યું છે. પાકિસ્તાને જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન ટ્રમ્પના નિર્ણાયક કૂટનીતિક હસ્તક્ષેપ અને મહત્ત્વપૂર્ણ નેતૃત્વને કારણે નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ પ્રસ્તાવિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.


પાકિસ્તાને ટ્રમ્પની પ્રશંસા કરી

પાકિસ્તાને ટ્રમ્પની પ્રશંસા કરી

પાકિસ્તાને ભારત સાથે યુદ્ધવિરામ કરાવવા માટે ટ્રમ્પના હસ્તક્ષેપની પ્રશંસા કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પના પ્રયાસોને કારણે યુદ્ધવિરામ થઈ શક્યું, જેથી યુદ્ધનું એક મોટું જોખમ ટળી ગયું હતું. તેઓ આ પુરસ્કારના અસલી હકદાર છે.

પાકિસ્તાને કહ્યું કે, ભારતના ‘ઓપરેશન સિંદૂરના જવાબમાં, ઇસ્લામાબાદે ઓપરેશન ‘બૂનયન ઉન માર્સુસ શરૂ કર્યું. તેનાથી બંને દેશો વચ્ચે તણાવ ઝડપથી વધ્યો પરંતુ ટ્રમ્પના હસ્તક્ષેપથી ક્ષેત્રમાં તણાવ ઓછો કરવામાં મદદ મળી. આ હસ્તક્ષેપ શાંતિદૂત તરીકે ટ્રમ્પની ભૂમિકાનું પ્રમાણ છે. આ વાતચીત દ્વારા આ સંઘર્ષને ખતમ કરવાની દિશામાં તેમની પ્રતિબદ્ધતાનું પણ પ્રમાણ છે.


ટ્રમ્પને નથી લાગતું કે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે

ટ્રમ્પને નથી લાગતું કે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે

જોકે, ટ્રમ્પને નથી લાગતું કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર જીતી શકશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે મને એ જણાવતા આનંદ થાય છે કે વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મળીને અમે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રિપબ્લિક ઓફ રવાન્ડા વચ્ચે એક સંધિ કરાવી છે. બંને વચ્ચેનું યુદ્ધ દાયકાઓથી રક્તપાત માટે જાણીતું છે. આ આફ્રિકા માટે એક શાનદાર દિવસ છે અને વિશ્વ માટે પણ એક શાનદાર દિવસ છે. પરંતુ મને તેના માટે નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે.

તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે પણ મને નોબેલ પુરસ્કાર નહીં મળે. સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધને રોકવા માટે પણ મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. મિસ્ત્ર અને ઇથોપિયા વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પણ મને નોબેલ પુરસ્કાર નહીં મળે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top