અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા આવી સામે, બોલ્યા- ‘અમદાવાદમાં બને

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા આવી સામે, બોલ્યા- ‘અમદાવાદમાં બનેલી દુર્ઘટના..’

06/12/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા આવી સામે, બોલ્યા- ‘અમદાવાદમાં બને

Air India Plane Crash: આજનો દિવસ ગુજરાત અને દેશ માટે કાળમુખો સાબિત થયો છે. અમદાવાદમા મોટો વિમાન અકસ્માત થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાણ ભર્યાના થોડા જ સમય બાદ આ દુર્ઘટના થઈ છે. લંડન જતું આ વિમાન BJ મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું હતું, જ્યાં કેટલાક રેસિડેન્શિયલ ડૉક્ટરો જમવા માટે ગયા હતા. તેમનો પણ કોઈ અતોપતો ન હોવાનું કહેવામા આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અત્યાર સુધી 210 લોકોના મોત થઈ ચૂક્યા છે, આ આંકડો હજી પણ વધી શકે છે. કારણ કે આ વિમાન દુર્ઘટના ખૂબ જ ગોઝારી હતી. આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે.


અમદાવાદ દુર્ઘટના પર PM મોદીની પ્રતિક્રિયા

અમદાવાદ દુર્ઘટના પર PM મોદીની પ્રતિક્રિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અમદાવાદમાં થયેલા અકસ્માતે અમને સ્તબ્ધ અને દુઃખી કરી દીધા છે. આ એક હૃદયદ્રાવક ઘટના છે જેને શબ્દોમાં વર્ણવી નહીં શકાય. આ દુઃખદ ક્ષણમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું જે પ્રભાવિત લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે.’


ગૌતમ અદાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યું

ગૌતમ અદાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યું

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ અકસ્માતમાં ભોગ બનેલા લોકોના પરિવારો સાથે અમારી સંવેદના છે. એર ઈન્ડિયા ફ્લાઇટ 171ના અકસ્માતથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ. અકલ્પનીય નુકસાન સહન કરનારા પરિવારો સાથે અમારી સંવેદના છે. અમે તમામ અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને જમીન પર હાજર પરિવારોને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ.

અકસ્માતને કારણે, બચાવ ટીમો અને કટોકટી સેવાઓની ઝડપી અવરજવર સુનિશ્ચિત કરવા માટે વિસ્તારની આસપાસના તમામ રસ્તાઓ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા. અમેરિકન કંપની બોઇંગ દ્વારા બનાવવામાં આવેલું આ એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થયું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 10 ક્રૂ સભ્યો અને 3 નાના બાળકોનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top