Gujarat: રામદેવપીર મંડપ મહોત્સવ દરમિયાન 50 ફૂંટ ઊંચો મંડપ પડતા 1નું મોત, 16 ઇજાગ્રસ્ત; મચી અફરાતફરી, જુઓ વીડિયો
Ramdevpir Mandap Accident: ગુજરાતના પોરબંદરમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે. પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમા મંગળવારની રાત્રિના જ મોટી સંખ્યામા લોકો ઊમટી પડ્યા હતા. આજે બુધવારે સવારના સમયે મંડપ ઊભો કરવાનું મુહૂર્ત હતું. જ્યારે મંડપ ઊભો કરવામાં આવી રહ્યો હતો ત્યારે એક દોરી તૂટતા, તે અચાનક નીચે પડી ગયો હતો, જેના કારણે એક વ્યકિતનું મોત થઈ ગયું, જ્યારે લગભગ 16 જેટલા લોકોને ઇજા થઈ. મંડપ પડતા ઘટનાસ્થળે અફરાતફરી મચી જવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને હટાવ્યા હતા.
આ વિસ્તારના લોકો રામદેવપીર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સમય-સમય પર ચોપાટી ખાતે મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આવી દુર્ઘટના ભાગ્યે જ બને છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
આ દુર્ઘટનામા વનરાજભાઇ નવઘણભાઇ ગોરાણિયા નામના પૌઢને માથાના ભાગે ઇજા થવાને કારણે મોત થઈ ગયું હતું. વનરાજભાઇ ગોરાણિયા સરકારી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે તેઓ હોસ્પિટલમાં ફરજ બજાવીને મંડપનાં દર્શન કરવા માટે ગયા હતા. એ દરમિયાન તેમને માથાના ભાગે ઇજા પહોંચતાં તેમનું મોત થયું હતું. આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
તો ઇજાગ્રસ્તોની ઓળખ ઉર્મિલાબેન બાબુલાક કોટિયા, લલિતાબેન પ્રેમજીભાઇ શેરાજી, શોભાનાબેન મનીષભાઈ કદાવલા, લક્ષ્મીબેન રામાભાઇ ચુડાસમા, ગિગાભાઈ ગોવિંદભાઇ ગોહિલ, નીલમબેન મધુભાઈ કોટિયા, શ્યામ જાદબભાઈ સોનેરી, કિંજલબેન રમેશભાઈ મકવાણા, નર્મદાબેન રમેશભાઈ મકવાણા, મૃદુલાબેન સંજયભાઇ જુંગી, દમયંતીબેન કાંતિભાઈ મોતીવરસ, રાનાભાઇ રામભાઇ વેગડ, કૌશિકભાઈ રમેશભાઈ મકવાણા, ભૂમિકાબેન જગદીશભાઇ મકવાણા, વિવેકભાઈ જુંગી તરીકે થઈ છે અન્ય વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાના પગલે ચોપાટી ગ્રાઉન્ડ વિસ્તારમાં દોડધામ મચી જતાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિતના આગેવાનોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળીને તેમના હાલચાલ પૂછ્યા તેમજ તેમની સારવારને લઈને હોસ્પિટલ સ્ટાફ સાથે ચર્ચા કરી હતી.
અર્જૂન મોઢવાણિયાએ ટ્વીટ કરતા કહ્યું કે, ‘પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે શ્રી રામદેવપીરનો મંડપ ઉભો કરતા સમયે સર્જાયેલ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ દર્દીઓને ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે હોસ્પિટલમાં દર્દીઓને મળીને તેમના ખબર અંતર પૂછ્યા તેમજ તેમની સારવાર અંગે હોસ્પિટલ સ્ટાફ સાથે ચર્ચા કરીને જરૂરી તમામ સારવાર પુરી પાડવા સુચનાઓ આપી.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp