સંભલ જામા મસ્જિદ સર્વે કેસમાં મસ્જિદ પક્ષને ઝટકો, હાઇકોર્ટે ફગાવી સિવિલ રીવિઝન અરજી
Sambhal Jama Masjid Dispute Case: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ સર્વે કેસમાં અલ્લાહબાદ હાઈકોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. અલ્લાહબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની સિવિલ રીવિઝન અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આ નિર્ણય સાથે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સર્વે કેસ સંભલની જિલ્લા કોર્ટમાં આગળ વધશે. ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે મુસ્લિમ પક્ષની દલીલોને ફગાવતા ચૂકાદો આપ્યો.
13 મેના રોજ, મસ્જિદ સમિતિની સિવિલ રીવિઝન અરજી પર સૂનાવણી પૂર્ણ થયા બાદ, હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. સંભલની જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ પર મસ્જિદ સમિતિ દ્વારા સિવિલ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. મસ્જિદ સમિતિએ અલ્લાહબાદ હાઈકોર્ટમાં કેસની જાળવણીને પડકાર્યો હતો. મસ્જિદ સમિતિએ 19 નવેમ્બર, 2024ના રોજ સિવિલ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.
નોંધનીય છે કે 24 નવેમ્બરના રોજ, સંભલની શાહી જામા મસ્જિદ વિરુદ્ધ શ્રી હરિહર મંદિરના કેસમાં, એડવોકેટ વિષ્ણુશંકર જૈને મહંત ઋષિરાજની અરજી પર કોર્ટમાં અપીલ કરી હતી. સિવિલ કોર્ટ બાદ, મસ્જિદ વિરુદ્ધ મંદિરનો કેસ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો, જેનો મસ્જિદ સમિતિએ વિરોધ કર્યો હતો. આ સર્વે સ્થાનિક કોર્ટના આદેશ પર કરવામાં આવ્યો હતો. સર્વે બાદ, કોર્ટ કમિશનરના નેતૃત્વ હેઠળ તેના અહેવાલો સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટના આદેશ બાદ તરત જ પહેલો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જ્યારે બીજા દિવસે બીજો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં 4 લોકો માર્યા ગયા હતા. અત્યાર સુધીમાં, હિંસાના કેસોમાં 70થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે તેમને જેલમાં મોકલી દીધા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp