અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી સામે SEBIની મોટી કાર્યવાહી, આ કેસમાં ફટકાર્યો દંડ
શેરબજાર નિયામક SEBIએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. SEBIએ આ દંડ રિલાયન્સ હોમ ફાઇનાન્સના કિસ્સામાં યોગ્ય તપાસ વિના સામાન્ય હેતુની કોર્પોરેટ લોનને મંજૂરી આપવા બદલ ફટકાર્યો છે. SEBIએ રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સના ચીફ રિસ્ક ઓફિસરનું પદ સંભાળતા કૃષ્ણન ગોપાલકૃષ્ણન પર રૂ. 15 લાખનો દંડ ફટકાર્યો હતો. SEBIએ પોતાના આદેશમાં કહ્યું કે બંનેએ 45 દિવસની અંદર દંડ ભરવો પડશે.
SEBIએ સોમવારે 23 સપ્ટેમ્બર 2024ના રોજ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે તેણે રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડના કેસમાં ચાલી રહેલી તપાસ પૂર્ણ કરી છે. રેગ્યુલેટરે કહ્યું કે તેણે જે તપાસ પૂર્ણ કરી છે તેમાં જાણવા મળ્યું છે કે જે લોકોને નોટિસ આપવામાં આવી હતી તેમણે SEBIના લિસ્ટિંગ અને ડિસ્ક્લોઝર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. SEBIએ તેના આદેશમાં જણાવ્યું હતું કે રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રહેલા અનમોલ અંબાણીએ સામાન્ય હેતુની કોર્પોરેટ લોન અથવા GPCL લોનને મંજૂરી આપી હતી અને તે પણ ત્યારે જ્યારે કંપનીના બોર્ડે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે આવી લોનને મંજૂરી આપવામાં આવશે નહીં.
અનમોલ અંબાણીએ 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ એક્યૂરા પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડને રૂ. 20 કરોડની લોન મંજૂર કરી હતી, જ્યારે 11 ફેબ્રુઆરી, 2019 ના રોજ તેની બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મેનેજમેન્ટને વધુ GPCL લોન ન આપવાનો નિર્દેશ આપ્યો હતો. સ્ટોક માર્કેટ રેગ્યૂલેટરનો આ આદેશ ત્યારે આવ્યો છે જ્યારે ઑગસ્ટ 2024માં SEBIએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના ભંડોળના દુરુપયોગના કેસમાં અનિલ અંબાણી અને અન્ય 24 લોકો પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો અને તેમના પર દંડ પણ ફટકાર્યો હતો. સાથે જ તેમને 25 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
SEBIએ પોતાના આદેશમાં અનિલ અંબાણી સહિત 24 અન્ય લોકો, જેમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સના પૂર્વ એક્ઝિક્યૂટિવ સિક્યોરિટીઝ માર્કેટમાંથી આગામી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરવાનો આદેશ આપ્યો હતો. SEBIએ જણાવ્યું હતું કે અનિલ અંબાણી ન તો કોઈ પણ રીતે સિક્યોરિટીઝ માર્કેટ સાથે સંકળાયેલા રહેશે અને ન તો તેઓ કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર કે મુખ્ય મેનેજિરિયલ પર્સનલ તરીકે કામ કરશે. વર્ષ 2018-19માં રિલાયન્સ હોમ ફાઇનાન્સના ફંડ ડાયવર્ઝન અંગેની ફરિયાદો મળ્યા બાદ, SEBIએ તપાસ કરી અને જાણવા મળ્યું કે અનિલ અંબાણી આ છેતરપિંડી યોજનાના માસ્ટરમાઇન્ડ છે, જેના કારણે શેરધારકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp