Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલનું એમ કહેવું જે તેઓ રાજ્યસભા જઇ રહ્યા નથી, એ માત્ર એક રાજકીય નિવેદન છે. અને આ કોઈ પહેલી ઘટના નથી. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટી (AAP)ની PAC એટલે કે રાજકીય બાબતોની સમિતિ જેને મોકલવા માગે છે, તે જશે. બિલકુલ સાચી વાત છે. PAC, આમ આદમી પાર્ટીની સૌથી શક્તિશાળી નિર્ણય લેતી સમિતિ છે, જેનો નિર્ણય અરવિંદ કેજરીવાલ પણ સ્વીકારવા બંધાયેલા છે. સવાલ એ છે કે જ્યારે PAC સભ્યોએ એકવાર નક્કી કરી લીધું છે કે અરવિંદ કેજરીવાલને મોકલવા જોઈએ, ત્યારે તેઓ શું કરી શકશે?
ચાલો હાલ પૂરતી અરવિંદ કેજરીવાલની વાત માની લઈએ. પરંતુ, આ વાત આમ પણ તેમના અગાઉના નિવેદનોની જેમ જ સ્વીકારવી પડશે. ઉદાહરણ તરીકે, અરવિંદ કેજરીવાલ દ્વારા સુરક્ષા લેવાનો ઇનકાર કરી દેવો. બંગલો લેવાનો ઇનકાર કરી દેવો. VIP કલ્ચર નાપસંદ કરવું અને પછી ધીમે-ધીમે આ બધી બાબતો અપનાવી લેવી, જેનો તેમણે અગાઉ ઇનકાર કરી ચૂક્યા હોય. અરવિંદ કેજરીવાલનો ટ્રેક રેકોર્ડ તો આમ જ કહે છે કે તેઓ જે કંઈ કહે છે, તે કરવાનો પ્રયાસ તો કરે જ છે અને તેઓ જે વાતનો ઇનકાર કરતા હોય તે જરૂર કરે છે અને આ હિસાબે જ અરવિંદ કેજરીવાલની રાજ્યસભામાં જવાની યોજના પણ સમજી શકાય છે.
માની લો કે અરવિંદ કેજરીવાલે રાજ્યસભામાં જવું નહોતું, તો પછી લુધિયાણા પેટાચૂંટણીમાં સંજીવ અરોડાને ઉમેદવાર બનાવવાની શું જરૂર હતી? લુધિયાણા માટે આમ આદમી પાર્ટીમાં પહેલાથી જ ઘણા દાવેદાર હતા. લુધિયાણા પેટાચૂંટણીમાં જે પ્રકારની મહેનત કરવામાં આવી હતી તે કોઈ પણ ઉમેદવાર માટે કરી શકાઈ હોત. અને આવા જ પરિણામો પણ મેળવી શકાયા હોત. લુધિયાણાના વેપારીઓને ખુશ કરવા માટે ખેડૂતોને નારાજ કરી દીધા.
શંભુ-ખનૌરી બોર્ડર બળજબરીથી ખાલી કરાવી દેવામાં આવી હતી. ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નહોતી, છતા અરવિંદ કેજરીવાલે મોરચો સંભાળ્યો. તેમણે લુધિયાણાના લોકોને મોટા-મોટા વચનો આપ્યા. તેમણે વિકાસના નામે લોકોને ધમકાવ્યા પણ, અને સંજીવ અરોડાને પંજાબ સરકારમાં મંત્રી બનાવવાનું પણ વચન આપ્યું.
જોવા જઇએ તો, સંજીવ અરોડા માટે આ ફાયદાનો સોદો પણ નથી. સંજીવ અરોડા પંજાબ વિધાનસભાના બાકીના કાર્યકાળ માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જે મુશ્કેલથી એક વર્ષનો સમયગાળો છે. તેઓ એપ્રિલ 2022માં રાજ્યસભામાં ચૂંટાયા હતા, જેનો અર્થ છે કે તેમનો લગભગ 3 વર્ષનો કાર્યકાળ બાકી છે. ચાલો એક ક્ષણ માટે માની લઈએ કે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી સત્તામાં પાછી નહીં આવે, તો સંજીવ અરોડાનો વર્તમાન ખેલ પણ ખતમ થઈ જશે.
સંજીવ અરોડા ચૂંટણી જીત્યા અને અરવિંદ કેજરીવાલે ના પાડી દીધા બાદ, સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટી રાજ્યસભામાં કોને મોકલશે? મનીષ સિસોદિયા અને સુરેન્દ્ર જૈન સહિત પંજાબના કેટલાક નેતાઓના નામો પર પણ વિચારણા થઈ રહી છે, પરંતુ રાજ્યસભામાં તો એ જ જશે, જેમના ત્યાં પહોંચવાથી આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થઈ શકે છે. સત્યેન્દ્ર જૈનને રાજ્યસભામાં મોકલીને અરવિંદ કેજરીવાલને કોઈ ફાયદો થવાનો નથી. તેઓ જે રીતે નવા વિચારો અને કાર્યક્રમો પર કામ કરે છે, તે રીતે તેમના માટે અરવિંદ કેજરીવાલનું સાથે રહેવું જરૂરી છે. સત્યેન્દ્ર જૈન રાજ્યસભામાં જવા કરતા પંજાબમાં રહીને વધુ ફાયદો પહોંચાડી શકે છે.
મનીષ સિસોદિયાને રાજ્યસભામાં મોકલવાથી પણ વધારે ફાયદો થવાનો નથી. રાજ્યસભામાં ગયા બાદ મનીષ સિસોદિયા એજ કામ કરશે જે સંજય સિંહ પહેલાથી કરતા આવી રહ્યા છે. હા, એક ફરક એ છે કે સ્વાતિ માલીવાલ કેસમાં સંજય સિંહની ઉતાવળે અરવિંદ કેજરીવાલને નારાજ કરી દીધા હતા. બની શકે કે અરવિંદ કેજરીવાલના મનમાં કંઈક હોય, પરંતુ બહારથી એવું કંઈ લાગતું નથી. પરંતુ, રાજ્યસભાના મંચ પરથી અરવિંદ કેજરીવાલનું ભાષણ વધુ મહત્ત્વનું હશે. કેજરીવાલ ભાષણો પણ સારા આપે છે. તેઓ પોતાની વાત સારી રીતે સમજાવે છે, અને લોકો સાથે સીધા કનેક્ટ પણ થઈ જાય છે. સંજય સિંહ ચોક્કસપણે આમ આદમી પાર્ટીનો અવાજ ઉઠાવે છે, પરંતુ તેઓ અરવિંદ કેજરીવાલનું સ્થાન નહીં લઈ શકે.
ગમે તે હોય, પરંતુ જો અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જાય છે, તો તેઓ સંજીવ અરોડાના કાર્યકાળના બાકીના 3 વર્ષ એટલે કે એપ્રિલ 2028 સુધી સાંસદ રહેશે. ત્યાં સુધીમાં, પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ થઈ ચૂકી હશે અને 2029ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી જશે. દિલ્હીમાં આગામી ચૂંટણી હવે 2030માં યોજાશે, જે અત્યારે ખૂબ જ દૂર છે. આ બધી પરિસ્થિતિઓ સૂચવે છે કે અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જશે. શક્યતાઓ મૂળથી ગમે ત્યારે નકારી શકાય છે, પરંતુ અરવિંદ કેજરીવાલનો રાજકીય સ્વભાવ તો આમ કહે છે અને તેમનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ તેનો પુરાવો છે.